Saturday, 3 January 2015

...વર્ષ  2014 ને વિદાય આપી ત્યારે ક્યાં ખબર હતી કે ,2015 નાં આરંભે 'અભિનય સમ્રાટ '
ને અલવિદા કહેવી પડશે !ઉપેન્દ્ર ત્રિવેદી માત્ર અભિનેતા નહિ પણ અતીતને  પોતાની 
માંહ્યલીપા જીવાડનાર અને ઉછેરનાર રંગકર્મી  હતા !એ જેવા અંદર હતા એવા બહાર 
હતા.એમણે સિનેમામાં અનેકવિધ પાત્રોને બખૂબી ભજવ્યાં !આ પાત્રોને જીવંત કરવા માટે 
જે ભાર એમણે વેંઢાર્યો ,એ ભારે ઉપેન્દ્રના હૃદયમાં ચાસ પાડી દીધા હતા.
...પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલા 13 માં 'અસ્મિતાપર્વ '(27-3-2010) માં બોલતાં 
એમણે કહેલું:'નાટક એ ચાક્ષુષ યજ્ઞ છે'.જેમાં કલાકારે આયુષ્યના સમિધ હોમવા પડે છે.
કોઈ પણ મિનિસ્ટર એક્સ મિનિસ્ટર થાય પણ કલાકાર કોઈ દિવસ એક્સ કલાકાર નથી 
હોતો .અભિનય યાત્રા સાથે જીવનયાત્રા જોડાઈ જતી હોય છે.'
...ઉપેન્દ્રભાઈએ અભિનયની આગવી કેડી કંડારી છે.એમના અભિનયમાં 'ગાંડીવનો'રણકાર 
છે.આ કલાના જાદુગરને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં !ઉપેન્દ્ર હોય ત્યાં 'અભિનય' વણ 
બોલાવે આવતો !ઉપેન્દ્ર ત્રિવેદી માણસ તરીકે પણ ઉમદા !ભુજમાં એમનો કાર્યક્રમ યોજાયેલો 
'રતન ગયું રોળ '.....એ પછી થોડા દિવસો બાદ એ મને અમદાવાદની  'સ્ટરલિંગ'હોસ્પીટલમાં 
ઓચિંતા મળી ગયા.મેં એમને કચ્છના એ મંચનની યાદ અપાવી ત્યારે ખૂબ પ્રેમથી એ મને મળ્યા 
અને મારી સાથે વાતો કરી.
...આજે એ દુનિયાના રંગમંચ પરથી  'EXIT 'કરી ગયા છે ત્યારે  હું એટલુંજ  કહીશ .....  

No comments:

Post a Comment