Wednesday, 30 September 2015

ગઝલ 

શબ્દનો  નવો  અવતાર  છું ,
સર્વત્ર  છું ;  ને   શ્રીકાર   છું  !

ગુરુમંત્રની   ગોદડી    ઓઢું ,
વેદમંત્રનો ;   ઉચ્ચાર     છું  !

હું  મને  ;ખૂબ -ખૂબ ઘૂંટું  છું  ,
એક;ના;શૂન્યનો સરદાર છું  !


મનની મુરઘી સેવે રોજ ઈંડું ,
ઇચ્છાઓનો ; તલબગાર છું  !

હવે હું કશાકની  શોધમાં  છું ,
સૂર્યકિરણ  પર   સવાર   છું !

જિંદગીની આ રમતમાં  હવે,
હારી  જવા  પણ  તૈયાર  છું  !

વિચારોની આરપાર  નીકળું ,
બંધ    દરવાજાનો હું  દ્વાર છું !
                   ***
-'કાન્ત'











Sunday, 27 September 2015

ગઝલ 


શબ્દને  દોડતો કરવો ;મારા ડાબા હાથનો ખેલ છે ,
રચું  ગીતની  સરગમ; આંગણે  ગઝલની  વેલ છે !

હું  લાજ  રાખું  છું  જીવનની ; એટલે મરતો  નથી,
નહીંતર ,ફાંસો ખાવો કે વિષ પીવું કયાં  મુશ્કેલ છે?

મને  તો  નડે છે  હંમેશાં ;મર્યાદા ઘરના ઉંબરાની,
મંઝિલે  પ્રેમની  પહોંચવું ; એ બિલકુલ સહેલ   છે !


કાં વગોવો  મદિરા, જામ ,સાકી અને   સુરાલયને ,
એની   મસ્તી   થી  જ    જીવનમાં  રેલમછેલ   છે !

નથી  છાપરું કે  નથી  દીવાલો  કે  નથી   બારણાં ,
છતાંયે  આ  જીવન  એક વણ ઉકેલાઈ   જેલ   છે !

ટોળે  વળ્યાં  છે   આજ બધાં  મારી    કબર  ઉપર,
'કાન્ત'    એમનું   રુદન   મારા  માટે  કાળો  કેર છે !

                                 ***
-'કાન્ત'

































ગીત 

કયાંક ખોવાઈ ગયું મારું બચપણનું નામ,
          ઓળખતું હતું એ નામે મને આખું  ગામ !
યોગેશ્વર   કહીએ તો  એકલું  અટૂલું  લાગે,
          ગોપીઓ    એટલે  જ  કહે   એને   શ્યામ ! 
                                                            0ક્યાંક..
અષાઢી  વાદળ  કેરું  રૂપ  જોઈ  મહાલતો,
    વહેતા પાણીમાં  કાગળની  નાવ ચલાવતો !
દેડકા  ને  મીં ના  મામાને  મોજું   કરાવતો,
    વગડાની વાટે બંસરીના સૂરે મયુર નચાવતો 
સિમેન્ટ-કોંન્ક્રીટના જંગલોમાં આજે વેઠું હું ઘામ,
     પગલું આકાશમાં,છૂટી ગયું ધરતીનું ધામ !
                                                           0કયાંક...
ગામના   તળાવમાં  હતી  ધૂબાકાની મોજ
               ભલે ત્યાં નહોતા ફાર્મહાઉસ ના  હોજ, 
આંખોમાં આજ પણ મીઠી આંબલીની ખોજ !
              એ  ધૂળિયા રસ્તા પોકાર કરે રોજ ,
ડામરની સડકું ને;  સડકુંમાં  ખાડાના મુકામ,
               આંખલા થઈને ખટારા દોડે બેફામ !
                                                          0કયાંક...
લૂસકા    ને બોર-વગડામાં પંખીઓના શોર,
               જોયાં છે મેં પાલરધૂનાના ધોધના તોર !
એના વહેતા   પ્રવાહમાં  ઘૂમ્યો  છું ચારે કોર 
                અહીં   શહેરમાં   નથી  થતી હવે ભોર !
નથી   રહ્યા અહીં    હોળીએ  કેસુડાના દમામ
                 માટીને બદલે હવે વાપરું હું હમામ !
                                                          0કયાંક...

                                ***
-''કાન્ત'
                 
              




      
    
    
    


Friday, 25 September 2015

                                       સ્પર્શ 

                               'એકલા   સાંજે   બગીચે  બેસવું શું ચીજ છે,

                                બાંકડો શું ચીજ છે ? ઘરડા થવું શું ચીજ છે !

            કવિ  પારકી પીડાને પોતીકી ગણીને ;એની વેદનાને શબ્દ રૂપ આપે છે અને સમાજ 
સમક્ષ પ્રસ્તુત કરે છે.એક દ્રશ્ય જુઓ....ભુજના સાંધી દાદા દાદી પાર્કમાં તા.25/9,શુક્રવારની 
ઢળતી સંધ્યાએ એક નાનકડા 'corner'માં મહારાષ્ટ્રના-સાહિત્ય અકાદમી પુરસ્કૃત દિગ્ગજ 
કવિ લક્ષ્મણ પોતાના કાવ્ય પાઠમાં 'સાંધ્ય દીપ'ના કલમના સાધકોને  કવિતાનો મહિમા સ-
મજાવે છે.તેઓ કહે  છે કે 'कविता आदमी को इन्सान बनाती है.... 'અને એ કવિતા શું કામની 
કે જેમાંથી લોકોની સંવેદના ન ટપકતી હોય ?'
           ભુજની વરિષ્ઠ કવિઓની સંસ્થા 'સાંધ્ય દીપ' આજે એક દાયકાથી નિરંતર અટક્યા 
વિના દર શુક્રવારે સાંજે દાદા દાદી પાર્કમાં પરસ્પર કવિતાને વહેંચે છે.એમને એકલતા અને 
બગીચાનો બાંકડો -બન્ને બરાબર સમજાયા છે.ઘડપણને આ કવિઓ ખરા અર્થમાં સમજ્યા છે.
અને તેથીજ આ સંસ્થાના કવિઓની સરેરાશ ઉંમર 60 થી 80 વર્ષની છે.અને આ આંગણે પધા
રેલા કવિ લક્ષ્મણ એ એમ પણ કહ્યું કે.'इतने शोरगुल के बीच यहाँ कविताएँ बोलतीं हैं ,ये एक 
चमत्कार है. मैंने आज तक ऐसा दृश्य नहीं देखा !आप सब बधाई के हकदार हैं। '
          18,ફેબ્રુઆરી 2005 ના રોજ જન્મ પામેલી 'સાંધ્ય દીપ'સંસ્થા આજે 2015 માં પોતાની 
જીવન સરિતામાં કાવ્ય નૌકાને વહાવતી રહી છે.સાંધ્ય દીપના કવિઓ કાવ્યપાઠ કરતા હોય 
ત્યારે એમની એક પણ કાવ્યપંક્તિ એવી નથી હોતી જે  સંમાર્જિત ન હોય,ચોટદાર ન હોય.આ-
ધુનિક સંદર્ભોનું,વિચાર લઢણોનું ,જીવનના વૈવિધ્યનું ,આક્રોશનું દર્શન આ કવિઓની કવિતમાં 
થતું રહે છે.છેલ્લાં દસ વર્ષથી કવિતા અહીં શ્વસ્યા કરે છે.   
             'સાંધ્ય દીપ'ના આંગણે કવિ શ્રી હરીશ મીનાશ્રુ ,રમણીક સોમેશ્વર,હિન્દી કવિયત્રી લક્ષ્મી 
પટેલ 'શબનમ',દીવ્યાક્ષી શુક્લ,કવિ કૃષ્ણ દવે,જયંતિ જોશી 'શબાબ',મદનકુમાર અંજારિયા 
'ખ્વાબ',મહેશ સોલંકી 'બેનામ',સાહિત્યકારો ડો.ધીરેન્દ્ર મહેતા,રજનીકાંત સોની,વિનેશ અંતાણી,
પ્રવીણભાઈ શાહ મુલાકત લઈ ચૂક્યા છે.અને આજે કવિ લક્ષ્મણ ની મુલાકાતથી 'સોનામાં સુગંધ'
ભળી છે.
            સત્યનો ચેહરો ગાંધી છે,સૌંદર્યનો ચેહરો ટાગોર છે.જીવનની મસ્તીનો ચેહરો 'સાંધ્યદીપ'
છે.કવિતા અમારા માટે ત્રિભુવન છે.કવિતાએ અમને જીવંત રાખ્યા છે.કવિતા અમારા ભીતરની 
ગરજ છે.કવિતા અમારો વૈભવ છે.આ વયે પણ અમે શબ્દોની સંગાથે ગુલાબી રહી શકીએ છીએ.
આનંદ અમારું ગોત્ર છે.અમે ભાવકને ચાહીએ છીએ તેથી અમારા નિવાસ 'સાંધ્યદીપ'ને કોઈ 
બારી-બારણાં  નથી.અમે ક્ષણને માણીએ છીએ,ક્ષણમાં જીવીએ છીએ,હા.....એટલી ઈચ્છા જરૂર છે-
                                            તમે ભીનો સ્પર્શ અમને આપી તો જુઓ,
                                            અમે તમને પરત કરશું વરસતું ચોમાસું !

                                                                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
        મંત્રી-સાંધ્યદીપ 
           ભુજ-કચ્છ.




  

Thursday, 24 September 2015

ગઝલ 

બેસીને  વાત  કરશું , આવ  હવે  તું,
થશે, મુલાકાત કરશું, આવ હવે  તું !

છે;  હતું; ગયું; હશે ,ભૂલી  જા  બધું,
હવે; ફના જાત કરશું, આવ હવે તું !

છે  આપણી  આ  દશાનું  શું  કારણ ?
કૈંક   આત્મસાત કરશું,આવ હવે તું !

લેવા-દેવાનું   કંઈ   રહી  ગયું  હશે ,
તો  વસુલાત  કરશું, આવ   હવે તું !

'કાન્ત' સઘળાં  સંવેદનોને   ઘૂંટીને ,
નવી;શરૂઆત કરશું,  આવ હવે તું !
                       ***
-'કાન્ત'

Wednesday, 23 September 2015

ગઝલ 

સૂરજ  થઈ  પ્રકાશો ;  તો   હું  ગઝલ  બનાવું  ,
પ્રીતમ  થઈ  ચકાશો; તો  હું   ગઝલ  બનાવું !

શબ્દોના  બોધમાં હું; પાગલ  બની  ગયો  છું ,
ઘૂંટો    મને   જરાશો  ;તો   હું   ગઝલ બનાવું !

તમારી  હથેળીઓમાં ;મહેંદી  આજે કયાં   છે?
મોસમના રંગે રંગાશો ;તો  હું ગઝલ  બનાવું !

જાહેર  છે   તમારી ;ને   મારી   કથા  યુગોથી,
આપી  શકો  દિલાસો ; તો  હું  ગઝલ  બનાવું !

તમારી નજર નીચે  છે; મારી  આ જિંદગાની ,
લૈલા  બની  ને  ગાશો; તો હું  ગઝલ  બનાવું !

એક નો     છે   આંક     બારાખડીમાં   એકલો,
શૂન્ય  કરે   ખુલાસો   તો  હું   ગઝલ  બનાવું !

'કાન્ત'  મારી  સેજને ;  પુષ્પો  વડે   સજાવી,
કરશો  જો  રાતવાસો, તો હું   ગઝલ  બનાવું  !

                              ***
-'કાન્ત'








Monday, 21 September 2015

ગીત 

વહેલી  સવારે   કૂકડે કૂક 
                   જગ   આખું  મ્હાલે ,
સૂરજદાદા પણ
                   ધીમે પગલે  ચાલે .
ગામને પાદર બેસતી
                    થાકી ગયેલી રાત ,
પનઘટને  ઓવારે
                     માણીગરની વાત
ડોલ સીંચતી પનિહારી 
                    જળ ધુબાકા તાલે .
સાસરિયાના સ્મરણો
                     ડોકાઈ રહ્યા ગાલે.
કાચો પાકો રસ્તો પણ
                   ધૂળમાં લેટી હસતો,
જળ  ભરેલી  ગાગરનાં
                     હૈયામાં એ વસતો
ઘાસ પણ લીલું છમ્મ
                      રૂપલીના  વ્હાલે.
આણું વાળજે સાહ્યબા 
                   ચોક્કસ ઓણ  સાલે.
                    ***
-'કાન્ત'
                       
                      

                    

                   








Sunday, 20 September 2015

ગઝલ 

કોઈ   સ્વજન;  છોડી   જાય  છે  દુનિયા,
આંસુના  આક્રંદમાં ;પડઘાય છે દુનિયા !


કયાંક   કોઈક ઘોડે ચડે;કયાંક કાંધ  પર,
કયાં   કોઈને   સમજાય  છે   આ દુનિયા !


વસ્તુની   ગેરંટી  છે;   માણસની   નથી,
હરિના શાસનમાં ;વળ ખાય છે દુનિયા !


દોરંગી  થઈને કાયમ  છેતરી  જાય  એ,
જન્મ મૃત્યુની વચ્ચે ;વરતાય છે દુનિયા !



શું  છે  આ  જનમ ;અને શું છે આ મરણ ?
ઘરથી  કબર  વચ્ચે; જીવાય છે દુનિયા !
                          ***
-'કાન્ત'

Friday, 18 September 2015

ગઝલ 

નદીના  સામે  કિનારે   તું   હતી,
સદીની  પ્રથમ  સવારે  તું  હતી !

હવામાં  આજ  વહે   જે  ખુશાલી,
સૂર્યોદયની     વહારે    તું   હતી  !

આભને  ઝરૂખે  હું  ઊભો   એકલો,
ચાંદનીને     સથવારે   તું    હતી !

વહેલે   પરોઢિયે     કૂકડો    બોલે,
માઝમ   રાતને  લવારે  તું   હતી !

ઘરમાં  તો   બસ  'કાન્ત'  મોઘમ,
ચોરે-ચોટે, ગામના  દ્વારે  તું  હતી !

                     ***
-'કાન્ત'
સંધ્યા -સાગર !

એક સાંજે ઘૂઘવતા સાગરે
ખીલેલી સંધ્યાને પૂછ્યું:
'તારી સોબતમાં મારી કાયાનો
રંગ બદલી જાય છે ;
અને હું અદભુત સૌંદર્ય પ્રાપ્ત કરું છું !
પૂછવું છે મારે તને એટલું કે
મારામાં નથી રૂપ કે નથી રંગ ,
છતાં કેમ કરે તું મારો સંગ ?
સ્વભાવ પણ મારો તરંગી
અને તું તો સપ્તરંગી !
મારા દેહના અણુએ અણુમાં ખારાશ 
હું તરસ્યાને કરું નિરાશ !
તેમ છતાં તું કેમ કરે મારો વિશ્વાસ ?'
સંધ્યા બોલી: 'હું બધું જાણું છું કે તું કેવો છે
પણ;મારા માટે તો તું દેવ જેવો છે !
હું ઓળખું છું તને ,તારા રૂપોને 
સવારના કોઈ શાંત તપસ્વી જેવો લાગે
બપોરના તું ખૂબ  તરડાય ,
સાંજના કોઈ પ્રેમી જેવો દેખાય !
રાતના જટાળા જોગી જેવો ભાસે !
તું ખારો  છે એ પણ હું જાણું છું 
પણ,તું જગત આખાનો કચરો ભેગો કરીને ,
એમાંથી અમૃત બનાવે છે !
તારામાં જે વિશાળતા અને મસ્તી છે
એ બીજે મેં કયાંયે જોઈ નથી !
તેથી જ હું મારું સર્વસ્વ તને અર્પણ કરું છું !
બોલ બીજું કંઈ કહેવું છે?'
સાગરે મૌન ધારણ કરી લીધું !
                      ***
(વજુ કોટકના પ્રભાતનાં પુષ્પને 'કાવ્યરૂપ')
-'કાન્ત'





Thursday, 17 September 2015

ग़ज़ल 

परदे   के  पीछे  तुम्हारा  चेहरा  है,
दिल  का  घाव   बड़ा  ही  गहरा है !


गुफ़्तगू  कई  बार  हमने  कर  ली,
हर  उजियारे  पर  यहाँ   पहरा  है !


जब भी  चाहा उठा के  फेंक  दिया,
आशनाई   में   हमारा   बसेरा   है !


कौन देगा शुकुन बताओ तो  सही,
अपने  दिल  में ही बसा  लुटेरा  है !


जख्म लगते हैं तो  दर्द  उभरता है,
हर  शाम  के  बाद, होता  सवेरा है !


जानता  हुँ  कि ,कोई  नहीं  सुनेगा,
सारा    आलम    यहाँ ;  बहरा   है !


ख़ुशी है  तो  ग़म  भी  आसपास हैं ,
वक़्त  के  शिर पर सजा  सहरा  है !
                     ***
-'कान्त'












Wednesday, 16 September 2015

ગઝલ 

રોજ  બોલાવીને  બારણાં  બંધ  કરી  દે ,
કહે  ;  તારા    આંગણામાં   કેમ    આવું ?


તું  જ પૂછે; તું  જ  લૂંછે ;ફંફોસે  તું હૃદય,
કહે  ;આપણાં  સંભારણાંમાં  કેમ   આવું ?


મારા  સવાલોના જવાબ  છે તારી  કને ?
કહે  ; પ્રેમની  ધારણામાં    કેમ    આવું?


એક ઘા ને ત્રણ કટકા કરી શકું ;કવિ  છું ,
કહે  ;  તારા  ઓવારણામાં  કેમ  આવું ?


ગઝલ  કહું ;   બહેરા  થયેલા   કાનમાં,
કહે  ;કોઈના  માગણાંમાં   કેમ    આવું ?

                         ***
-'કાન્ત'









Tuesday, 15 September 2015

ગઝલ 

જાગરણની  વેળા; તું  કયો  સિતારો  છે ?
મારાં   સપનાનો  ;તું   કયો  ઈશારો છે ?

જિંદગીની  છે બાજી;નસીબના છે  ફેરા ,
કાળની   નદીનો  ;તું  કયો  કિનારો  છે ?

ફૂલનો  દઈ  ભરોંશો ; કાંટાએ   છેતર્યો,
કયા  રંગનો  તું ;અજનબી ચિતારો છે?

ભેટ  શું  આપું  ? કંઈ  દેખાતું નથી મને,
તારી પાસે આંસુ રાખવા  પિટારો    છે ?

પલાંઠી વાળી બેઠો છું ,હું  સાધક બની,
'કાન્ત' ને  આપી શક; એવો ઉતારો છે ?

                         ***
-'કાન્ત'



Monday, 14 September 2015

ગઝલ 

જીવવાનો  બસ; એક  આધાર  તું છે,
આ પાર  તું   છે;    પેલે પાર   તું   છે !

હું છટકીને ભાગું  તો કયાં લગી ભાગું ?
શું ધરતી    કે નભ આ ; સંસાર  તું  છે !

ન    ચૂકવી   શકું   હું  આ તારું દીધેલું,
અણું  એ    અણુંનો  વ્યવહાર  તું   છે !


જોઈ   શકું    છું    હું    ચારે   દિશાઓ,
આ  નયનોમાં  તું; આ પલકાર  તું છે !

ગુલામી  ગમે  છે  આ 'સાગર' ને તારી,
તારી     હકૂમત  ને       સરકાર  તું  છે !
                           ***
-રોહિત જોશી 'સાગર'



કવિત 

માસી  પૂતના  નેં  સગો  મામું  કંસ  મારે  વિધેં ,
સેંકડા   સંહારે   વિધેં  ,  કૃષ્ણ   હોંશીયારી    સેં !

સારથી   ભનીને  વ્હાલે   કૌરવેં    જી   કઢેં  જડ ,
ભાર  પાંડવેં  જો  ખંય , હરિ  હિત  હિતકારી  સેં!

નરસિંહ  કે  કરે  લય  સડ , કેડારો   ડઈ   ડીને ,
ગોપીયેં   કે  રંગે    વિધેં ,  કાન   પિચકારી   સેં !

પિરસેલા  છપ્પન ભોગ, દુર્યોધન જા   છડે  કરે,
વિદુર જી   ભાજી   ખાધેં , નાથ   બલિહારી   સેં !

'કાન્ત' ચપ ઢીલો કરે,ચપરાસ  કેણ આયો અય,
નેણ   ખોલે   ન્યાલ  કર ,  મું  કે  સમજધારી સેં !

                                ***
-'કાન્ત'

Sunday, 13 September 2015

गीत 

फूल  खिले हैं मेरे चमन  में,
मेरे प्रियतम अब तो  आजा !
उमड़-घुमड़कर तू बरसा जा !

प्यार के रंग मेरे,धरोहर हैं पास तेरे,
अपना ही सपना मेरी आँखें हेरे !
मेहमान बनकर मुझ में समा जा !
                            ०मेरे प्रियतम .... 

जब तक रहेंगे तेरी आहट के साये,
फिर क्यों न मुझे खुद ख़ुदा ही बुलाये !
नहीं जाऊँगी,अब तू एक झलक दिखला जा !
                             ०मेरे प्रियतम.... 

कब की खड़ी हुँ ,चिंता मत करना,
आकर के तू , सारे सपने   धरना !
मेरी  साँसो में प्राण बनकर तू  इठला जा !
                            ० मेरे प्रियतम …… 

मत पूछना मेरी बातों  पर  हैं पहरे,
मैंने भी देखे हैं  ख़्वाब  सुनहरे !
अँबराव में मयुर  नर्तन कर इतरा जा !
                             ० मेरे प्रियतम  …… 
                    ***
-'कान्त'

                     
                       





गीत 

चँदा  तेरी चाँदनी अनछुई  लगे,
तेरी ये  दीवानगी अनछुई लगे !

हमने तो पाया तेरा अमृत सदा,
मिल भी जाये बस इक  बुदबुदा !

चँदा तेरी  आँगनी अनछुई  लगे,
तेरी  ये  परवानगी अनछुई लगे !

जब चले है  चाँदनी में कोई पल,
मस्त  बनकर लहरे है कोई  दल !

चँदा   तेरी  सादगी अनछुई लगे,
तेरी  ये  रवानगी  अनछुई  लगे !

ठंडी  हवाएँ   झूमकर  गीत गायें ,
गाते गाते वो यहाँ तुझको बुलायें !

चंदा  तेरी नाराजगी अनछुई लगे,
तेरी     ये    चाँदनी  अनछुई लगे !
                   ***
-'कान्त'











ग़ज़ल 

आज  अपना  नहीं  लगता  एक  भी साया  हमको,
इस  दुनिया  ने  तो  ज़िंदगी  भर  रुलाया   हमको !

चंद   मयखाने   थे  जिसने  हमें   सँभाला   वरना ,
अपनों  ने  तो  रोज   नज़रों   से  गिराया   हमको !

इक  ज़िद  थी  इसलिए  मिट  न पाये  हम  वरना,
चाहने वालों  ने  ही  अक्सर  बहुत  मिटाया हमको ! 

अपना  न  कोई  था,न  कोई  है  ,न  कोई     होगा,
अपनी   आँखों  ने   ही ;  अज़नबी   पाया   हमको !

आज़   बेताब  हैं   हमें  पैरों  में  कुचलने  के  लिए,
प्यार  से  जिसने  था;  दिल   में  बिठाया   हमको !

हम  ढूँ ढ़ते  ही  रह  गए  उनके  नयनों में   नर्तन ,
शरी   के  जुर्मों  ने  ही  मिट्टी  में  मिलाया  हमको  !

बिकते  जो  इश्क  के  बाज़ार  में;कोई गम  न था,
तूने  तो  जुए  खाने में , दाव  पे  लगाया  हमको !

                             ***
-'कान्त '






Saturday, 12 September 2015

કવિ છું  !

હું એક કવિ છું.
શબ્દોના પલાશવનમાંથી ,
આવતો અવાજ છું !
મારી ચેતનાની ડાળ પર
કવિતાઓ મ્હોરે છે !
જેને ડાળ પરના પંખીઓ ,
હોંશે હોંશે ટહુકે છે !
મારી કવિતાઓ મીઠી ,
ગળચટ્ટા સ્વાદવાળી છે !
સમુદ્રના  ઘૂઘવતાં મોજાંના ,
નાદવાળી છે !
હું પગ પખાળું છું ભૂરા આકાશના,
સાત રંગો રેલાય છે;શબ્દોના પ્રકાશમાં !
હું ત્વચાની પાર ચાહું છું મારી કવિતાને !
મારે હરદમ વહેવું છે;કહેવું છે
ખળ ખળ વહેતી સવિતાને !
પડઘા વગર પડઘાય છે કશુંક મારામાં ,
મારે તો પ્રવેશવું છે તમારામાં !
હું એક કવિ છું ;પૂર્વાકાશમાં ઊગતો રવિ  છું ,
ઊંચકી સુગંધને ચાલું;હું ખુદ મારી,
જાતમાં મ્હાલું ! 
અનુભવી છું ..........હું એક કવિ છું !
                      ***
-'કાન્ત'





ग़ज़ल 

हम  किस  नगरी  मैं  आ  पहुंचे  हैं  बाबा, ?
हम  किस  डगरी   पे  आ  पहुंचे  हैं  बाबा ?

पनघट  का  जमघट   सुहाना  लगता  है,
हम  किस  गगरी  में  आ  पहुंचे हैं  बाबा ?

जूठे  बेर श्री राम ने   खाये  थे  जंगल  में,  
हम  क्यों  शबरी  में  आ  पहुंचे  हैं   बाबा ? 

देखा  तो  था  दिन  को  अपने पास आते,
फिर  कैसे  ये  शर्वरी में आ पहुंचे हैं  बाबा ?

 सितंबर क्या पूरा जीवन बीत जाने को है,
2016  के  फ़रवरी  में  आ  पहुंचे  हैं  बाबा !
                            ***
-'कान्त'












હમીરસર !

હમીરસર હિલોળા લે છે,
ને સાથે લેતું આવે 
ઉમંગ ઉલ્લાસ !
વોક-વે,ખેંગારબાગ,રાજેન્દ્રબાગને ,
થોડું રૂપ આપી દે છે પોતાનું !
જયાં ખૂબ પાણી છે ત્યાં
આકાશ પણ કૂદી પડયું છે સરોવરમાં ,
અને પોતાની પીઠ પર
ઝુલાવે છે માછલીઓ ;બતકને !
કોક તરવૈયો હાલ્યા ચાલ્યા વગર
ચત્તોપાટ સૂતો છે સરની છાતી પર!
સુંદરતા અને અલૌકિકતાનું ,
એક દ્રશ્ય ચીતરાય છે
ભુજ વાસીઓની આંખોમાં !
હજુ પણ ગોરંભાયેલું આકાશ
અડપલાં કરે છે હમીરસરને !
મેં તો મારી આંખોમાં ભરી લીધું છે એને
મારે  પણ લહેરાવું છે એની જેમ જ !

                    ***
-'કાન્ત'

Friday, 11 September 2015

ગઝલ !

વેદનાના  ભેદનું ;  થોડું  શરણ  આપો મને , 
સેવતાતા  પ્રેમથી  જે; એ ચરણ આપો મને !


વીજ  આ  માતમ  કરે છે ,મેડિયે ઓ  સનમ,
 જીવવા  જેવું  સજીવું , કો  ભરણ આપો મને !


ઘૂઘવે સાગર અહીં  ને મરજીવા  એના  તળે,
મેનકા પગ ચૂમતી  ;એવું  મરણ આપો મને !


દેહ તરસે  તરફડે  જો, કો   સરોવર ના   તટે,
ભીતરે શાતા વળે      એવું  ઝરણ આપો મને !


આંખ  મીંચી ,કાન બાંધી ,બંદગી કરવી  હવે,
ઊતરું   ભવપાર હું, એવું  તરણ  આપો  મને !

                              ***
-'કાન્ત'
























ગઝલ 

ખુલ્લો  તને  પડકાર  છે, આવી શકે  તો  આવ  તું,
શબ્દો  તણો આ માર છે,  આવી શકે  તો આવ તું !


જ્ઞાની  અને  પંડિતની   વાતો   અહીં   વાગોળમાં ,
ઢાઈ   અક્ષર   પ્રેમના   વાંચી   શકે   તો  આવ તું !


પાતાળ  પણ  નાનું  પડે, જો  માપવા  બેસો  તમે,
એ   પેટના  ઊંડાણ ને  ,માપી  શકે  તો  આવ  તું !


હુંડી  લઈ  શબ્દોની  ,ઊભી   રહી    છું    દ્વાર  પર,
સ્વીકારવા  ઓ  શામળા, આવી  શકે  તો આવ તું !


આ  ઘૂંટ  કડવો  જિંદગીનો, પી  જવામાં   સાર  છે,
અણમોલ છે આ આયખું, આવી  શકે  તો આવ તું !

                               ***
-સરસ્વતીબેન  સોલંકી 
(કાવ્ય સંગ્રહ 'કાવ્ય  નિર્ઝરી  માંથી )

Thursday, 10 September 2015

ગીત !

આવ,  ભીની  લાગણીને   SET કરીએ,
ને  પછી   આપણે   બેઉ CHAT કરીએ !

face book  કયાં  બતાવે  સાચો ચહેરો,
કેટલાં  OPTION  તણો  ત્યાં છે  પહેરો !
લાવ , આજે   કોઈને   UPSET   કરીએ !

અર્થો બધાં PAGE પર શું સ્પષ્ટ થાતાં ?
શ્વાસના   સ્પંદનો  એમાં,  કયાં  સમાતાં  ?
ભાવ  આજે   પ્રેમનો  UPDATE કરીએ !

G MAILને VOIC MAILવશમાં કર્યા,
લખતી વખતે આંખેથી આંસુઓ શું સર્યાં ?
ચાલ,  શબ્દોને   ફરીથી   EDIT  કરીએ !

GOOGL ના સંબંધો  હવે અહીં બંધાતાં ,
LIKE ની  સંખ્યા  વડે એ  અહીં મપાતાં ! 
     આવ, આજે   એમને   DELETE કરીએ !      
                                          -'કાન્ત'


Wednesday, 9 September 2015

ગજાનન !

વાજતે  ગાજતે તમે આવો ગજાનન,
રિદ્ધી-સિદ્ધી  ને  સાથે લાવો ગજાનન !

હરદમ ગુલાબો  છાબ  ભરી વહેંચીયે ,
અમારા મન મંડપ ને તાવો ગજાનન !  

શ્વાસ  હવે  છેલ્લા  ને પથ અડબંગ છે,
અમને સાચો મારગ બતાવો ગજાનન !

તમારા ચરણોમાં  છેલ્લી રજૂઆત  છે,
હવે  સત્ય માર્ગ  ગજાવો      ગજાનન !

આજે  ભૂલી  જઈએ અમે મારું ને તારું,
'કાન્ત  ને કસોટીએ ચડાવો  ગજાનન !

                       ***
-'કાન્ત'












Tuesday, 8 September 2015

ग़ज़ल 

आँसूओं    में  तुम्हारा  चेहरा  है,
दिल  का  घाव, बड़ा  गहरा    है !


मेरी आँखों  में  झांक  कर  देखो,
ख़्वाब   कोई  यहाँ  सुनहरा    है !



ले  देके पहलू  दो ही हैं जीवन के,
इक है  शाम  और  दूजा सवेरा है !



हमने खिलते हुए चाँद को देखा है,
फ़लक के तले ही  हमारा बसेरा है !



वो क्या रहनुमाई करेंगे किसी की,  
जिनका  खूंगर खुद ही   लुटेरा  है  !
                    ***
-'कान्त'







Monday, 7 September 2015

ગઝલ 

જળ  નહીં ,  મૃગજળ   હશે  તો  ચાલશે,
ભીતરે  કોઈ, ભળભળ  હશે તો ચાલશે !


હરદમ  ગુલાબી  સાંજ ,વહેંચતો  રહ્યો,
દિલમાં  કો ,   સળવળ હશે તો ચાલશે !


રાતનો  પગરવ  સંભળાય   છે મેડીએ,
ક્ષણિક   પણ,ઝળહળ  'હશે તો  ચાલશે !


બારણે  સાંકળ ,આંગણે  બંધ  ઝાંપલી,
એ  બેઉની, ખળભળ  હશે  તો  ચાલશે !


નથી કયારેય  માગ્યું, કિસ્મત ચમકતું,
શબ્દની  ,ચળવળ  હશે   તો   ચાલશે !
                         ***
-'કાન્ત'

Saturday, 5 September 2015

          ગીત !

તમે એકવાર આવોને શ્યામ,
અહીં ખોવાયું ગોકુળિયું ગામ !

ફૂલને પૂછું હું ; ભમરાને  પૂછું,
આંખો ચૂવે ;  પાલવથી  લૂછું.
હું  તો  શોધું   રે  તારા  મુકામ !
                                   0તમે.
જમના કાળી;કાળા વનમાળી,
રાસ  રમતા  દેતા  તા  તાળી.
કઈ કેડીએ  અટક્યા ઘનશ્યામ !
                                   0તમે.
મોરલી સૂની;પનઘટ છે સૂના
તારા વિના  ગીતો થયાં જૂના .
હવે   નથી રહી મારામાં  હામ !
                                   0તમે.
કોઈ  હવે અહીં  દાણ ન માંગે,
વનરાતેવનમાં ન કોઈ સતાવે
ગોરસ  મટુકીના   ઘટ્યા દામ !
                                   0તમે.
ઝંખું બિંબ થઈ સુધ બધી ગઈ,
રાધા રાણી બિલકુલ મૂંગી થઈ.
હવે   પીવાં પડશે ઝેરના જામ !
                                    0તમે.
ચાંદો સળગ્યો રવિ સળગ્યો છે
તારા વિના,  ભવ  બગળ્યો  છે.
'કાન્ત'ને રહેવું  હવે  કયે ઠામ !
                                     0તમે.
                    ***
-  કૃષ્ણકાંત ભાટિયા  'કાન્ત'
                                   










ગઝલ 

શ્રી  કૃષ્ણ  હવે   આવ તું ,  
રૌદ્ર  સ્વરૂપ બતાવ  તું !

વાંસળીને તું  હેઠી  મૂક,
સુદર્શનચક્ર ચલાવ તું  !

ધર્મગ્લાનિ રોજ થતી , 
ધરતીને ન રડાવ તું !

કંસ અહીં   ખુલ્લા ફરે,
મલ્લ યુદ્ધ  કરાવ   તું !

ચીર લૂંટાય  રોજેરોજ,
નિર્ભયા ને બચાવ તું !

 રાસલીલા બંધ    કર,
 કુરુક્ષેત્ર    રચાવ  તું !

ગીતા ગાયક તું નાયક,
વચનને   નિભાવ   તું !

               ***
-'કાન્ત'





















ગઝલ 

ચોતરફ પાયલ  તણો  ઝંકાર  છે,
ભીતરે    આશા  તણો   સંચાર છે ! 


મેઘલી  આ રાતમાં  હું   કયાં   ફરું  ?
વરસાદના છાંટા ભલે બે-ચાર  છે !


હોઠ  ઉપર છે લયલાનું  નામ પણ,
પ્રેમનો  કયાં  જગમાં  સ્વીકાર  છે ?


રંગ  નયનોમાં  ભરી  વરણાગિયા ,
અંતરે  વસવા   તણો  વિચાર  છે !


ભલેને ,  એ  મળે   કે  ન મળે   મને,
વેદના  હંમેશાં  મારો  અણસાર  છે !


સૂરભીનો  જન્મદાતા  હું  જ   પોતે,
મારા  કંઠમાં  ભૈરવી  ને મલ્હાર છે !


આ  મારી લાગણી  છે  બહુ કામની,
પામવા  એ સૌને કાયમ તૈયાર છે !
                        ***
-'કાન્ત'















Friday, 4 September 2015

કનૈયા !

ચાલ, માખણને  મિશ્રી  ખાવા  આવી જા  કનૈયા !
જશોદામાના લાલા યમુના તટના બંસી  બજૈયા !

પારણું    ઝૂલાવશું ને તને  રૂડા મોતીડે  વધાવશું ,
નંદ ઘેર આનંદ ભયો ની  જયજયકાર  બોલાવશું !

ચાલ,તારી લીલા છોડી,દિલમાં સમાઈ જા કનૈયા !
મટકી  ફોડ ઉત્સવમાં મોજથી  છવાઈ  જા  કનૈયા !

મધ ચટાવશું ને  મેશનું  કાળું ટીલું પણ  લગાડશું , 
હોંશે હોંશે ગાતાં ગાતાં મીઠા હાલરડાં  સંભળાવશું !

ચાલ,આરતીના સૂર-નાદમાં   ગવાઈ જા   કનૈયા ! 
ભક્તોની  ભીડમાં   લાલ  બની સમાઈ  જા કનૈયા !

નાચશું  મસ્ત થઈ  નોબત ને  ઢોલ અમે વગાડશું , 
કૃષ્ણ  તને  બાળ  ભાવે  ભજી  ને અમે તો રમાડશું !


ચાલ, નેહ   નીતરતી  આંખોમાં  અંજાઈ જા કનૈયા!
'કાન્ત'ના આ મધુર   ગીતમાં  છલકાઈ જા કનૈયા !
                                 ***
-'કાન્ત'






ગઝલ 


ચાલ  આજે   શાણપણને  પૂછીએ,
સ્મૃતિને  તો  બાળપણનું  પૂછીએ !


દિલમાં  કૈં  કૈં   અર્થ   છે;  જોઈએ,
ને પછી  તો   ગાંડપણને   પૂછીએ!


કોઈને  આ   સાંજની   છે    જુદાઈ ,
પ્રીતના તો   વ્હાલપણને  પૂછીએ !


સ્વપ્નો  જે   સેવ્યાં  તાં   આંખોમાં,
ખૂલતી  આ    પાંપણોને   પૂછીએ !


સળવળે  શું  સૂંડલામાં   વિરહથી,
ડંખ   દેતી    નાગણોને    પૂછીએ !
                      ***
-'કાન્ત'













શિક્ષક છું !

ભારતનો  ભાગ્યવિધાતા  હું  શિક્ષક છું ,
શિશુ  -   લાગણીનો જ્ઞાતા હું શિક્ષક છું  !

જાગીર -બાગીર  બધી  વિદ્યાને   ખોળે ,
અકિંચન ભેખધારી દાતા હું શિક્ષક  છું !

માનવ મૂલ્યોનો  હંમેશાં હું  રહ્યો રક્ષક,
શિષ્યોના મનની   શાતા  હું શિક્ષક  છું  !

નથી  ક્યારેય માગ્યું  આભનું  કિસ્મત,
ધરતીનો   નાનો  ભ્રાતા  હું  શિક્ષક  છું  !

પ્રલય અને નિર્માણ મુજ ખોળામાં રમે,
વર્ગખંડની  શારદામાતા  હું શિક્ષક છું 

હૃદય કંઈ કેટલાંયે સ્વપ્નો લઈ ચાલે,
વિદ્યાર્થી જીવનનો  ધાતા હું શિક્ષક છું !
                         ***
-'કાન્ત'






























                             યોગેશ્વર શ્રી કૃષ્ણ 

     શ્રી કૃષ્ણના મહિમામંડિત વ્યક્તિત્વને સમજવા માટે એક જ વાક્ય પૂરતું છે કે એ  
કર્મયોગી સંન્યાસી હતા અને સન્યાસપૂર્ણ કર્મયોગી હતા.પાંચ હજાર વર્ષનો કાળ વી-
તી ગયો છતાં જેને કોઈ નિરસ બનાવી શકયો નથી.કાળનો પુરુષાર્થ જ્યાં વિરામ પા-
મ્યો,કાળ જ્યાં પરાભવ પામ્યો ત્યાં લોક હૃદયપર જેની હકૂમત ચાલતી રહી એવી 
કૃષ્ણ સિવાયની બીજી કોઈ વ્યક્તિ ઇતિહાસમાં જોવા મળતી નથી.
      કૃષ્ણના અનેક રૂપ છે.આપણે એમને કોઈ નિશ્ચિત ચોકઠામાં બાંધી શકીએ નહીં.
કૃષ્ણના અનેક નામ છે તેમ અનેક કામ પણ છે.ગોપીઓ પાસેથી માખણની દાણ વસૂ-
લ કરનારા શ્રીકૃષ્ણ,સ્નાન કરતી ગોપીઓના વસ્ત્રોને સંતાડી મૂંઝવનાર શ્રી કૃષ્ણ,દ્રૌ -
પદીના ચીર પૂરા પાડનાર શ્રી કૃષ્ણ-આ એ જ શ્રી કૃષ્ણ છે જે પૂતનાના સ્તન પરથી 
ઝેરના ચૂસી લે છે.આ એ જ કૃષ્ણ છે જે કાલી નાગનું મર્દન કરે છે.ગોવાળિયો થઈને 
ગાયો ચરાવવા જાય છે.અને સમય આવે ટચલી આંગળીએ ગોવર્ધન પણ તોળે છે.
એ રાસેશ્વર છે અને યોગેશ્વર પણ છે.એના હાથમાં વાંસળી છે.આ વાંસળી હૈયાને વીંધે 
એવી છે.એના હાથમાં સુદર્શનચક્ર પણ છે છતાંયે કૌરવો સાથેના યુદ્ધમાં એમણે એનો 
ઉપયોગ ન કર્યો.
        કૃષ્ણે સંન્યાસને પણ વેશાંતર નહીં પરંતુ અંતરાત્માનું રૂપાંતર કહ્યું છે.સંન્યાસ 
જીવનનો ત્યાગ નથી,પરંતુ જીવનનો વિશુદ્ધ પરમ યોગ છે.વાત તો ઊલટી લાગે છે,
પણ છે વિચારવા જેવી.શ્રી કૃષ્ણ આપણને એ સમજાવવા માગે છે કે,તમે જીવનને વા-
સના અને આકાંક્ષાઓમાં બાંધવાની કોશિશ કરશો તો જીવન તેટલુંજ તમારા હાથની 
બહાર રહી જશે.જીવનને ખુલ્લું રાખો.કારણ કે જીવન પોતે જ એક આનંદ છે.પલાયન-
વાદી સંન્યાસી બનશો તો ઈચ્છાઓ તો તમારો પીછો છોડવાની નથી.એવા સંન્યાસી 
રૂપે તમે જંગલમાં નવું મંગલ કરશો.કારણ કે સંન્યાસનું સરનામું સંસાર ત્યાગમાં નહીં 
પણ મનના સંયમમાં છે.
        કૃષ્ણનો આદર્શ ;ગૃહસ્થ ;પણ નિર્મળ વ્યક્તિત્વવાળા,ઈચ્છાઓને ઈશારે નહીં 
નાચનારા અણીશુદ્ધ સજ્જનો હતા.માણસ કર્મ વગર જીવી ન શકે એટલે કર્મ છોડીને 
ભાગવું એ તો પ્રમાદ થયો.શ્રી કૃષ્ણે કર્મને સમજવામાં થાપ ખાધી નથી.તેઓ માને છે
કે,કરવા જોગ હોય તે જ કર્મ.ઈચ્છાઓનો ત્યાગ કરો એટલે ખોટાં કર્મો સાથેનો નાતો 
અને તેનો ચસકો આપોઆપ ઘટવાનો.આ અર્થમાં જ કૃષ્ણે ફળની ઈચ્છાઓ ત્યાગ 
કરવાની વાત કરી છે.ઈચ્છાઓનું વર્ચસ્વ જ માણસ પાસે દુષ્કર્મ કરાવી જાય છે.શ્રી-
કૃષ્ણે એટલે જ એ વાત ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે કે,ભાઈ તારી ઈચ્છાઓ ઘટશે એ-
ટલે બુરાં કર્મો આપોઆપ ઘટશે અને સારાં  કર્મો તારો સંગ છોડશે નહીં. 
      શ્રી કૃષ્ણ નિષ્ઠાવાન છે,એમનું મન નિષ્ઠાથી ભર્યું-ભર્યું છે.શ્રી કૃષ્ણ માને છે કે,માણ-
સ તો સારો જ છે.બસ એ ઈચ્છાઓનો નચાવ્યો ન નાચે.એ ઈચ્છાઓને છોડી દેશે એટલે 
એની ભીતર શુભત્વનો જન્મ થશે અને પછી જે કંઈ બહાર આવશે તે ઉત્તમ જ હશે,શુદ્ધ  
હશે.કૃષ્ણ અને દ્રૌપદીનો નામ વિનાનો એક સંબંધ છે.પુરુષ અને સ્ત્રી વચ્ચે આદર્શ મૈત્રી 
કેવી હોઈ શકે એનું એ ઉત્તમ ઉદાહરણ છે.કૃષ્ણ પાર્થ સખા છે એવી રીતે દ્રૌપદી સખા 
પણ છે.કૃષ્ણનું પાત્ર એક મેઘધનુષી  પાત્ર છે.એના એટલા બધા રંગ છે કે,પાત્ર શબ્દો 
માં પકડાય નહીં અને જકડાય નહીં.આપણાં તમામ દેવ-દેવીઓ પર નજર કરો.કૃષ્ણ 
જેવું હસતું,રમતું,ગાતું,નાચતું કોઈ પત્ર નથી.રજનીશ કૃષ્ણને 'Danceing God' કહે 
છે.ક્રીડા અને લીલા શું હોઈ શકે એનો અનુભવ કૃષ્ણ જ આપે છે.કૃષ્ણ સૌને સ્વીકારે છે.
કુબ્જા હોય કે રાધા હોય,ગોપી હોય કે મીરાં હોય એને કશું વર્જ્ય નથી.કૃષ્ણ સર્વસ્વીકૃતિ 
ના મહામાનવ છે.વાંસળી અને સુદર્શનચક્ર વચ્ચે એ સમતુલા જાળવી રાખે છે.એ જન્મ્યા 
કારાગારમાં અને મહિમા મોક્ષનો ગાયો.કૃષ્ણ આપણાં બધાના અંતર્યામી છે.આજે કૃષ્ણના  
જન્મદિને ફક્ત પ્રભુ તમે પધારો...એવા કાલાવાલા કરવા એ પૂરતું નથી પરંતુ કૃષ્ણે 
સૂચવેલા માર્ગ પર આગળ વધવા ;સંકલ્પ કરવાનો દિવસ છે.અનેક સમસ્યાઓ વચ્ચે 
ઘેરાયેલા શ્રી કૃષ્ણે ક્યારેય લાચારી કે દીનભાવ બતાવ્યો નથી.પછી એના આરાધકો 
આપણે પોતાના ઉદ્ધાર માટે એની પાસેથી કરુણાની ભીખ માગે એ કૃષ્ણને કેવી રીતે 
ગમે?કૃષ્ણના જીવન સંદેશનો આ ઉત્સવ ફક્ત બહારથી નહીં પણ અંદરથી પણ ઉજવો.
કારણ કે મળેલી આજ,આજની ઘડી રળીયામણી છે,વ્હાલો આવવાની વધામણી છે.......
એટલે કૃષ્ણને હરપળે તમારા મનના કારાગારમાં જન્મવા દો.
                                                           ***
-'કાન્ત'

      

     

Thursday, 3 September 2015

શિક્ષક 

      વરસાદના આવવાથી વાતાવરણમાં એક નવી તાજગી વરતાવા લાગી છે.
વર્ષા ખરેખર ખૂબ વ્હાલી લાગે છે.ઝરમર ઝરમર અમી છાંટણાં પડી રહ્યાં છે.ચા-
રે બાજુ જોઉં છું તો પ્રકૃતિ વરસાદમાં ભીંજાઈ રહી છે.બાળકો શિક્ષક પાસે અદબ 
વાળીને ઊભાં રહે ;એમ શાંત ઊભેલાં વૃક્ષો કહ્યાગરાં લાગે છે.
      'શિક્ષક....'આ એક શબ્દ મગજમાં ચેતનાની ચિનગારી પ્રકટાવી દે છે.આ પળે 
મને ચાણક્યનો હુંકાર યાદ  આવી જાય છે.' मैं शिक्षक हुँ शिक्षक.......' ફાધર વાલેસ 
ના શબ્દો સ્મૃતિપટ પર ટકોરા મારવા લાગે છે.'શિક્ષક તો શ્રદ્ધા અને આનંદની મૂર્તિ 
છે......'આ હુંકાર કે આ શબ્દો અમથાં નથી.શિક્ષકને આવો હુંકાર કરવાનો અધિકાર 
છે.કારણ કે વિશ્વ નાનું પડે એવું શિક્ષકનું મન છે.જેમ માણસ હવા વગર ન જીવી 
શકે તેમ શિક્ષણ;શિક્ષક વિના ન જીવી શકે.સરસ્વતી પ્રકાશના દેવી છે અને આ 
દેવીનો ઉપાસક છે શિક્ષક.વિદ્યાર્થી મહા ઊર્જા છે,તેને યોગ્ય દિશા આપે છે શિક્ષક.
તે વિદ્યાર્થીઓમાં ચેતના જાગૃત કરી શકે છે.'તું પણ ઇતિહાસ સર્જી શકે છે....તું પણ 
મહાન બની શકે છે.......'એવું બાળકોના મનમાં પ્રસ્થાપિત કરી શકે છે શિક્ષક.
      રજનીશ કહેતા,'આરસીનો એક ગુણ છે;સચ્ચાઈનો.એ એવુંજ કહે ,જે જેવું હોય.
કહેવામાંય ભેળસેળનું નામ નહીં નિખાલસતાનું બીજું નામ આરસી.બીજો ગુણ છે 
સત્કારવાનો.એની પાસે અગાઉથી 'appointment'લીધા વિના જાવ તો પણ તમને 
'disappoint'ન થવું પડે.તમે આરસી પાસે જાવ એટલે તરત ખાત્રી થાય કે,એની 
પાસે બીજું કોઈ ન હતું.આરસી સૌને આવકારે છે.નાનું બાળક હોય કે મોટો અધિકારી 
હોય,કાકા કરસન હોય કે કાલેલકર હોય,અમૃત કાકી હોય કે ઐશ્વર્યારાય હોય...........
જે એની સમક્ષ જાય તે સત્કારાય.આ આરસીનું સજીવ વ્યક્તિના રૂપમાં દર્શન શિ -
ક્ષકમાં થાય છે.શિક્ષક કદી કોઈને 'disappoint' ન કરે.
       ઝરણું અને નદી વહેતાં રહે છે.વહેતાં રહે છે એટલે વિશુદ્ધ રહે છે.વિશુદ્ધ રહે છે 
એટલે વહેંચતા રહે છે.શિક્ષક પણ સદાયે વહેતો રહે છે,જાગતો રહે છે,વરસતો રહે છે,
આપતો રહે છે.શિક્ષકના જીવનમાં શ્રધ્ધા અને આનંદ હોય છે.જેનામાં આનંદ ન હોય 
એ વ્યક્તિ શિક્ષક થવાને લાયક નથી.'મૂડ' ન હોય તે દિવસે બાળકો સમક્ષ જવા કરતાં 
CL લઈ લે તે સાચો શિક્ષક.
        વિદ્યાર્થીઓને કોણ ભણાવે છે?પાઠ્યપુસ્તકો ભણાવે છે?સંપત્તી અને સાધનો 
ભણાવે છે?એમાંનું કોઈ ભણાવતું નથી.શિક્ષકનો પ્રેમ,ભાવ જ ભણાવે છે.બાળકોનું 
શિક્ષણ તેજસ્વી અને જીવન લક્ષી બને એ શિક્ષકનો આદર્શ છે.શિક્ષક પોતે શ્રમ,શ્રદ્ધા 
અને ભાવનાની પ્રતિમા છે.શિક્ષકના હૈયામાંથી નિપજતી શિક્ષણ પ્રેમની ઉકલત 
વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને નીતિના જીવન ભાથાઓનું સિંચન કરે છે.શિક્ષક થવું 
એ જિંદગીની દુર્લભ ઘટના છે..........તો સફળ શિક્ષક થવું એથીયે દુર્લભ છે.મને 
ગૌરવ છે કે ,'હું શિક્ષક છું શિક્ષક....

-'કાન્ત'