Wednesday, 31 October 2018

બને  !

ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા 

આ  પાર  કે  ઓ પાર  મારું ઘર  બને,
પાણી   પડે  પાતાળમાં  ને   સર બને.

આવી   મને   કોઈ   કહી   દે    એટલું,
મારી  ગઝલના  કાફિયા ના ડર બને.

હોઠે    ગુલાબી   હોય   તો  ચૂમી લઉં,
મેડી   ફળે , જો પ્રે મનો અવસર બને.

આ   ઝાડની  નીચે   હવે   છે  બેસણા ,
અવતાર લૈ ,નારાયણી જો નર  બને.

નારાજગી  સંતાડવી   છે  આજ  તો,
દીવાનગી  જો  ઊડવાના  પર બને.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Tuesday, 30 October 2018

ગરીબી 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

ગરીબી   વસે  છે  અમારા   સદનમાં ,
અને   એ   હસે   છે અમારા  સદનમાં.

તમે  હો   ન હો  તો ,કશો  ફેર  શાનો ?
અરે  એ    રસે  છે અમારા   સદનમાં.

મને   બીક  લાગે ,તમારા  નયનની ,
નજરને  કસે   છે   અમારા  સદનમાં.

ગરીબી   નથી  તો, નથી આ સહારો,
ચિરાગો   ઘસે  છે  અમારા સદનમાં.

હવે  તો   અમારી , શરૂ  થૈ  પનોતી,
ખુશીને    ડસે  છે  અમારા  સદનમાં.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

                      







                      


Monday, 29 October 2018

ગીત 

પછી   એકાએક   બધું   તમને  ફાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

ઝૂકી  જાશે વાદળાં ,ચમકી જાશે વીજ,
કોને માથે  કાઢશો  અણગમતી  ખીજ ?
ઝાંઝરની   રૂમઝૂમ  તમને  નચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

તુલસીનો  કયારો ,ને પાણિયારે  હેલ,
જોજો  તમે  સહિયર ,જીવનના  ખેલ.
નણદલના  વીર ,પ્રીત  થૈ   હસાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.

સાત  ફેરા  ને   સપ્તપદીના  સોગંધ ,
જોડ્યાં    છે   તમે ભવોભવના સંબંધ.  
હેત સાસુ -સસરા ,ચોક્કસ વરસાવશે,  
જયારે  સોનેરી  શમણાં રાતે  આવશે.

ભારતીય  નારી  છો  તમે નારાયણી,
'કાન્ત 'ના    ગીતના તમે કામાયની.
શોર   કોયલ  ને મોર  પણ મચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Sunday, 28 October 2018

भूल  !

भूल   भी   थी   कैसी   फूल  सी  कोमल,
सो  न    सकी रातभर , तड़पी  प्राण  सी। 

पलकों   की   छाया  में ,सोई   है  कहानी ,
दर्द   की   उलझन ,हो  शके आसान  सी। 

जल   नहीं   जाता   तो   क्या  करता  मैं  ?
आग  भी  लग  रही  थी ,तेरी  जबान सी। 

आँख   अंजानी   में,  पहचाना  था  पानी,
लग  रही   थी  वह , अर्जुन  के  बाण  सी। 

मेरा  कुछ  नहीं  लेके, सब  कुछ ले लिया,
आज  लहरें  उछलें ,समंदर के तूफान सी। 

आँसू  न  बहाओ , मेरी  कब्र पर  दीवानो,
हरी घास  फूटी  है,आज  मेरे अरमान की। 

हार  नहीं  मानी ,जिंदगी  से  लड़ता  रहा,
मेरी  जीवन यात्रा  ,कर्म के अभियान सी। 
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Wednesday, 10 October 2018

નવરાત્રિ  !

શક્તિની  સાધનાનું  સ્વરૂપ છે  ,નવરાત્રિ !
જગદંબાના  વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !

અનુષ્ઠાન   કરે  ભક્તો ,  માતાજીને   ભજે,
કુમારિકાઓ  નિત  નવા નવા  વાઘા સજે.

આશાપુરી   સુગંધિત  ધૂપ   છે , નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !

ચાચર  ચોકમાં  થાય , ભવાનીના બેસણા,
દૂર  ભાગી જાય, આપણી સઘળી  એષણા.

અમૃત જળથી  ભરેલું   કૂપ  છે,  નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે, નવરાત્રિ !

નવ  નોરતાં ને  નવલી  એની  નવ રાતો,
ભક્તો  કરે હોંશથી  મા ની ભક્તિની વાતો.

મન મર્કટની    હૂપા -હૂપ     છે,  નવરાત્રિ !
જગદંબાના વિવિધ નવ રૂપ છે,નવરાત્રિ !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા' ,પ્લોટ નં.155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો.99090  71588  



Sunday, 7 October 2018

પ્રશ્ન  !

પ્રશ્ન  ભલે  પૂછ, એનો જવાબ  નથી,
અઢારે   અંગ   વાંકા , શબાબ નથી .

અહીં  સામટો  વેપાર  છે  ઈમાનનો,
સત્ય મેવ જયતે   નો   પ્રભાવ નથી .

તારો  પ્રશ્ન   જિજ્ઞાસા   છે  કે ચેતના ?
તારા  ઉપર  હવે કોઈ દબાવ  નથી.

ક્યાં કશી  અસર થાય છે સરગમની,
બેસૂરો  વાગે   તંબુરો, રબાબ  નથી.

ભીડમાં  સામાન્ય  લોકોનો દબદબો,
અહીં   કોઈ   સાંસદ  કે નવાબ નથી.

એક અટપટો પ્રશ્ન મનેય મૂંઝવે રોજ,
આ લોકશાહીનો  કેમ  રુઆબ  નથી ?

પ્રજા છું ,આધુનિક શાસકોની ગુલામ,
'કાન્ત 'નો  નવો  કોઈ  ખ્વાબ નથી.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમ વિલાં,પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર,ભુજ-કચ્છ.
મો.99090  71588 









Saturday, 6 October 2018

દયા  !

દયા  કરજે  દયાળુ  દેવ  મારા,
ઝોળી  ભરજે,દયાળુ દેવ મારા.

મોહ -માયા-મત્સર પજવે મને,
ભ્રાન્તિ  હરજે,દયાળુ દેવ મારા.

ભવસાગર પાર કરવો છે  મને,
સંગ  તરજે,દયાળુ  દેવ  મારા.

કર્મ બંધન કોઈને છોડતા નથી,
તું  પણ ડરજે ,દયાળુ દેવ મારા.

'કાન્ત '  કવન ગાયે, પડે પાય,
કાને ,ધરજે  દયાળુ   દેવ મારા
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588 




Thursday, 4 October 2018

અલખ 

અલખનો  નાદ   હવે  જગાવું  મેકરણ,
મોહ માયા મત્સરને   ભગાવું  મેકરણ !

અફાટ રણ  સાદ કરે  છે  મને   કેદુણો ,
સૂતેલા  આતમને  હું  જગાડું  મેકરણ !

જીવો  પણ  ઝેર  ન થાવ, કીધું  તું  તેં ,
અલખના  ઓટલે  હું  લંબાવું  મેકરણ !

કાયા  છે  કૂડી  એના  કામણ  છે  કૂડા ,
ભરથરીને  ભોમિયો  બનાવું  મેકરણ !

કોક  ભૂખ્યો તરસ્યો  પોકાર કરે  મને,
લાલિયા-મોતિયાને   સજાવું  મેકરણ !

સેવાથી  સંબંધ  રાખવો   જીવતરમાં, 
અલખની  ધૂણી ,હું  ધખાવું    મેકરણ !

સંતપદું મળતું  નથી કોઈને મફતમાં,
'કાન્ત 'ને તપશ્ચર્યા  હું કરાવું  મેકરણ !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ.
મો। 99090  71588









Tuesday, 2 October 2018

ગઝલ 

હક  સાથે સાથે ,ફરજની  વાત  કર,
ગઝલ  છે, તો   તરજની  વાત કર.

દાવા -દલીલ  ને  હક  છેતરામણા ,
આ બાજુ જો ,તું  ગરજની વાત કર.

સાતે  સૂરો છે ,સૂરીલા એ બરાબર,
ષડ્જ -સા સ્વર,ખરજની વાત કર.

ફરજ   નિભાવ   ને   હક  માટે લડ ,
તને   થયેલા   મરજની  વાત  કર.

'કાન્ત'ના બધા  હક  છે  સલામત,
તેં   કરેલી  એ અરજની  વાત કર.
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588



Monday, 1 October 2018

લાલ  !

મા  ભારતીનો    લાલ તું ,સાદગીનો  શાસ્ત્રી !
અમ  દેશની તું  ધરોહર,  હું ઉતારું  આરતી !

રાષ્ટ્ર  કાજે  પ્રાણની પરવા  કદી  કરી નહીં,
બહાદુર  હતો  તું,  તુજ  નિડરતા  ડરી નહીં !

ઓવારણાં લે લાલ તારા ,આજે મા ભારતી !
અમ   દેશની   તું  ધરોહર,હું ઉતારું આરતી !

વામન છતાં વિરાટ થઈ તેં નમાવ્યું વિશ્વને,
ભૂલી   શકું  હું કેમ તારા ,સાદગીના  વેશને .

જય જવાન જય કિસાન વાણી  ઉચ્ચારતી !
અમ  દેશની  તું ધરોહર,  હું ઉતારું આરતી !

સાદગીનું શરણ તારું,સત્ય વચન  વીરતા,
અમૃત ભરેલું ભીતરે ને ધારી તેં  ગંભીરતા.

શાંતિ ઘાટે આજ પણ શાંતિ પગ પખારતી !
અમ  દેશની  તું  ધરોહર ,હું ઉતારું આરતી !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



ગાંધી  !

બાપુ !આજે  અમે  ખાદીના  કપડાં  પહેરી 
ધૂળ ચડી  ગયેલો  રેંટિયો  કબાટ પરથી  ઉતારશું 
મોઢા પર  ઠાવકાઈનું  મહોરું  ચડાવી  હોઠ પર 
'ઈશ્વર-અલ્લા  તેરો  નામ ગણગણીને  
તમને  યાદ  કરશું !
30 જાન્યુઆરી  1948 પછી પણ 
અમે તમારી  કાયામાં  ગોળીઓ,છરાઓ ,ખંજરો 
ખોસવામાં  પાછું વળીને જોયું નથી !
આખેઆખા  માણસને મારીને 
અમે કબૂતરો -ચકલીની દયા ખાઈએ છીએ ???
ગામે  ગામ  શરાબ બને છે ,ચોરે ને ચોટે 
આ દેશની  નારીઓને  પોતાનું જીવન ટકાવવા 
અપ્સરાઓના રૂપ સજવા પડે છે !
સત્યના હોઠ પર  સત્તાનું તાળું  લાગી ગયું છે 
અમારી  નિડરતા  નથાઈ  ગઈ છે લાલચથી !
જિંદગીભર  દરિદ્રતા માટે  લડનાર ..
તમારી સમાધીને  'ગરીબઘાટ 'ને બદલે 
'રાજઘાટ 'નામ અહીં અપાય છે।
અહીં  ગામેગામ,રાજ્યેરાજય ,શહરે -શહેરમાં 
રોજ તમારી હત્યા થતી રહે છે 
બાપુ ! એવું કરીએ તો  !!!
મોહનદાસ ગાંધી  ...એ નામ ક્યાંક 
ઊંડે-ઊંડે  ખૂબ ઊંડે  દાટી દઈએ -ધરબી દઈએ !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '