Saturday, 6 October 2018

દયા  !

દયા  કરજે  દયાળુ  દેવ  મારા,
ઝોળી  ભરજે,દયાળુ દેવ મારા.

મોહ -માયા-મત્સર પજવે મને,
ભ્રાન્તિ  હરજે,દયાળુ દેવ મારા.

ભવસાગર પાર કરવો છે  મને,
સંગ  તરજે,દયાળુ  દેવ  મારા.

કર્મ બંધન કોઈને છોડતા નથી,
તું  પણ ડરજે ,દયાળુ દેવ મારા.

'કાન્ત '  કવન ગાયે, પડે પાય,
કાને ,ધરજે  દયાળુ   દેવ મારા
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588 




No comments:

Post a Comment