Monday, 31 March 2014

        गीत 

दिन बीत चूका है भैया,
कुछ संभल शको तो संभलो रे,

तेरी नगरी में कोई  आयेगा,
कुछ जगह करो तो करलो रे !

पदचाप किसी  की  आयेगी ,
कान इसी और  धर लो रे !

मीत तुम्हारे  हैं  लाखों पर ,
कुछ फूल चुनो तो चुनलो रे !

तुम्हें बुलातीं दिया और बाती ,
इनके साथ चलो तो चल रो ले !
-'फलक'

               અરીસો 

   અરીસો ચકલીને ખુદથી લડાવી મારે,
     ચાંચ એ ખુદના પ્રતિબિંબને જ ફટકારે !

     અલ્લા,ઈશ્વર , ખુદા, ગોડ એકજ છે તો ,
     આપણે શાને કરીએ માનવીના કટકા રે !
                                 'કાન્ત' 

Sunday, 30 March 2014

                            
                                મીનાકુમારી 
                                     (41 મી  પૂણ્ય તિથીએ શ્રદ્ધાંજલિ)
 *મહેજબીન બાનો *હુલામણું નામ : મંજુ *બાળ કલાકાર :બેબી મીના *મીનાકુમારી 
                   *જન્મ:1 ઓગષ્ટ,1932,મુંબઈ *મૃત્યુ :31 માર્ચ,મુંબઈ 
                                      (અભિનેત્રી અને ઉર્દુ કવિયત્રી  )
બાળ કલાકાર તરીકે 1939 માં ફિલ્મ Leather face ,પ્રથમ ફિલ્મ 'બૈજુ બાવરા',1952 ,અંતિમ ફિલ્મ 'પાકીઝા '
                           1972 ............તેમની એક ઉર્દુ રચનાની કેટલીક પંક્તિઓ 
                                अपना लगता नहीं अब एक भी साया हमको ,
                                वक्त क्या जाने कहाँ खींचके लाया हमको। 

                                 आज बेताब हैं पैरोंमें कुचलने के लिए,
                                 प्यार से जिसने था कल दिल में बिठाया हमको। 

                                 चंद अगियार थे जिसने कि सँभाला वरना ,
                                  अपनेवालों ने तो हररोज़ गिराया हमको। 

                                 अजनबी अपनी नजऱ में तो नहीं कोई दोस्त ,
                                 हमारी आँख ने ही अजनबी पाया हमको। 

                                करनेवालों ने तो कीं लाख जफ़ाएँ  भी मगर,
                                हम वफादार थे ये तर्ज़ न आया हमको। 

                                 इक तअज्जुबहे  न मिट पाये मुसाफिर वरना,
                                 सरपसंदों ने तो क्या कुछ न सताया हमको। 
                                                            *

ગઝલ 

આંખોથી  ટકરાતી આંખો,,
કાળજડે  પડઘાતી  આંખો  !

નીલી-ભૂરી  છેલ  છબીલી ,
હરખાતી  મલકાતી  આંખો  !

સોળ  વરસની  સુંદરીની તો ,
ઢળી જતી  શરમાતી  આંખો  !

પરણ્યાની  પહેલી  રાત્રીએ,
લજ્જાથી   છલકાતી  આંખો  !

રસઘેલાના તો   હૈયાં  વીંધે  ,
અણિયાળી  મદમાતી  આંખો  !

'કાન્ત' નજરથી  ભરી  ભરી ને,
ભીતરમાં  ઠલવાતી  આંખો !
--------------------------------------
-'કાન્ત'
-------------------------------------- 

Thursday, 27 March 2014

                         रंगमंच है दुनिया सारी

                                        (આજે વિશ્વ રંગભૂમિદિવસ)
   'रंगमंच है दुनिया सारी हर इन्सां अभिनेता है  …… આ ગીતમાં કવિએ ભલે રૂપક
પ્રયોજયું હોય પરંતુ વાસ્તવિકતા એ જ છે કે આ જગત એક રંગમંચ છે અને આપણે
બધાં કોઈને કોઈ સ્વરૂપમાં અભિનય કરીએ છીએ.કદાચ આ ભાવમાંથી જ  રંગમંચ
અસ્તિત્વમાં આવ્યો હશે.
  લલિતકળાઓમાં નાટકનું વિશેષ મહત્વ છે. તે બીજી કળાઓનો સુમેળ સાધે છે.તેમાં
ચિત્ર,ગીત,સંગીત,નૃત્ય આ બધું એકત્ર થાય છે.એ જનસામાન્યને સૌથી વધારે પ્રભા-
વિત કરે છે.લોકપ્રિયતામાં પણ તે મોખરે છે.ભગવાન શિવને નટરાજ કહે છે. એટલેજ
કહેવાયું છે,' शत सृष्टि तांडव रचइता नटराज राज नमो न: ......'
  સંસ્કૃત નાટકો આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ છે.સમય જતાં નાટકમાં વિવિધતા આવી.નવા
યુગમાં 'ABSURD'જેવા પ્રયોગો પણ મળ્યા.સિનેમાએ પ્રારંભમાં નાટકને મોટી હાનિ પ-
હોંચાડી પણ પોતાની ખૂબીઓને કારણે નાટક ટકી શક્યા અને ફરી બરાબરીમાં આવીને
ઊભાં !
   વિશ્વ રંગમંચની તવારીખ સુવર્ણાક્ષ્રરે લખાયેલી છે. જૂની રંગભૂમિના અનેક સીમા -
સ્તંભો છે.ઈ.સ.1770 માં મુંબઈમાં પહેલું રંગભવન સ્થપાયું.1847 માં રામભાઈએ અમદા -
વાદમાં ભદ્રમાં 'દ્રૌપદી વસ્ત્રાહરણ 'નાટક ભજવ્યું. 1852 માં પહેલી નાટક મંડળી સ્થપાઈ.
મુંબઈમાં પહેલું નાટક 'સોરાબ અને રુસ્તમ 'ભજવાયું.1889 માં 'દેશી નાટક સમાજની '
સ્થાપના થઈ.વર્ષો સુધી 'ભાંગવાડી 'થિયેટરમાં નાટકો ભજવાતા રહ્યા.
  ભારતીય નાટ્યવિદ્યાને દુનિયાભરમાં રોશન કરનાર ચન્દ્રવદન મહેતાએ ગુજરાતમાં
અવૈતનિક રંગ ભૂમિનો પાયો નાખ્યો.સંખ્યાબંધ નાટકો લખી ભારતીય નાટ્યવિદ્યાને
જગતના ચોકમાં લઈ જઈ તેનું ગૌરવ સ્થાપવાના પ્રયત્નો કર્યા.ગુજરાત અને ભારતનું
નામ દુનિયાભરમાં રોશન કરવાનું માન એમના ફાળે જાય છે.
   'ચંચી'ના હુલામણા નામે જાણીતા ચન્દ્રવદન મહેતા ઉત્તમ નટ ,દિગ્દર્શક, નાટ્યકાર
તરીકે ખ્યાતિ પામ્યા.દેશ-વિદેશના થિયેટરોમાં તેઓ નાટકો લઈને ભમતાં રહ્યાં.અનેક
વિદેશી નાટ્ય સંસ્થાઓ સાથે કામ કર્યું. છ દસકાથી વધુ વખત તેઓ નાટક અને રંગ -
ભૂમિની પૃવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા.
   પશ્ચિમી આધુનિક નાટકના પિતામહ ગણાતા 'હાઈન્રીક ઇબ્સન '19 મી સદીમાં થઈ ગયા.
તેઓ નોર્વેમાં જન્મ્યા હતા.તેમણે અનેક નાટકો લખ્યાં છે.તેમનું નાટક 'DOOL  HOUSE'
ઘણું લોકપ્રિય છે.ઇબ્સને નાટકને સાદા સ્વરૂપમાં મૂક્યું.સચોટ સંવાદકલા એ એમના નાટકો -
ની ખાસિયત હતી.યુરોપભરમાં નાટ્ય લેખન અને ભજવણીમાં તેમણે  નાટકને એક નવું રૂપ
આપીને ક્રાંતિ કરી.
   ગુજરાતી રંગભૂમિના કલાકાર જયશંકર સુંદરીએ પોતાના અભિનય દ્વારા લોકોને ઘેલા કર્યા
હતા.વિવિધ પ્રકારના સ્ત્રી પાત્રો સાથે એ એટલા એકાકાર થયા હતા કે લોકોએ તેમને 'સુંદરી '
નું ઉપનામ આપ્યું હતું .અને આ 'સુંદરી' એમની ઓળખ બની ગઈ.આમ રંગભૂમિને જીવંત
રાખવા માટે કેટલાયે કલાકારો-સાધકોએ પોતાનાં બહુમૂલ્ય જીવન ખર્ચી નાખ્યાં.કચ્છની
વાત કરું તો નાટકને જીવતું રાખવા માટે 'સાનિધ્ય ' સંસ્થા વર્ષોથી સાધના કરી રહી છે.શ્રી
કીર્તિભાઈ હાથી અને પંકજ ઝાલાએ તખ્તા પર કલાકારોને પ્રસ્તુત કરીને,નાટકોનું મંચન
કરીને પ્રકાશ ગોસ્વામી,રાજેશ દવે,સુબી,કમલ મારુ,નિપુણ માંકડ,નિશા ગોસ્વામી,મીરાં
ભટ્ટ,માનસી માણેક જેવાં કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે.તેમને તખ્તો ગજવતા કર્યાં  છે.
   કોને યાદ કરું.......કોને ભૂલું નયન રાણા,પીયુષ શુક્લ,રમેશ સોનપાર,પ્રદીપ જોશી એ
પણ આ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.કોઈ પણ કલા ક્ષેત્રની વાત હોય ત્યારે ઝવેરીભાઈ સોનેજી,
જગદીશભાઈ ભટ્ટ જેવા સમર્પિત બહુ આયામી લોકોએ એના માટે પોતાનું જીવન ખર્ચ્યું છે,
ખર્ચી રહ્યા છે.સંસ્કાર ભારતી અને સાનિધ્યના ઉપક્રમે આજે ભુજની લાલન કોલેજ ખાતે
સાંજે 7 વાગ્યે એમફી થિયેટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં
પાર્મી ઠક્કર, જિયા ત્રિવેદી,સ્વયં દવે,રિશી જોશી ગ્રુપ,કૃપલ સોમપુરા જેવા કલાકારો
એકપાત્રીય અભિનય,નૃત્ય,સંગીત અને જૂની રંગભૂમિના કલાકારોની વાતો રજુ કરશે.
શ્રી અર્ચન ત્રિવેદી જેવા મોટા ગજાના કલાકારનો લાભ કચ્છને અને કચ્છના કલાકારોને
ભૂતકાળમાં મળ્યો છે એ માટે 'સાનિધ્ય' અને 'સંસ્કાર ભારતી'ના મોવડીઓ અભિનંદનના
અધિકારી છે.આ કલાકારો સાથે મને પણ કામ કરવા મળ્યું છે એ મારા માટે અતિ મૂલ્ય્વાન છે.
--------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.27-03-2018,મંગળવાર,10:15 AM)
---------------------------------------------------------------------------------------------
 



        

Tuesday, 25 March 2014

                                    દીકરી 

      બોલતાં આવડે એ પહેલાં બધું ઈશારામાં સમજાવે અને બોલતાં આવડી જાય પછી બધું વાતો વાતોમાં સમજાવી દે...એ દીકરી.સમજણની SUMMARY એટલે દીકરી. ઈશ્વર સુધી પહોંચવા માટે 
તત્કાલમાં કરાવેલું RESERVATION એટલે દીકરી.મંદિર સુધી લઈ જતો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે 
દીકરી.વર્ષો પહેલાં સમજણ નામનું કોઈ બીજ રોપ્યું હોય અને એમાંથી વૃક્ષ થાય એ વૃક્ષનું નામ દીકરી.
ડાબા ખિસ્સામાં વસંત રાખ્યાનો અહેસાસ થાય,એ અહેસાસનું નામ દીકરી.દીકરી આંસુ લૂંછે ત્યારે એવું 
લાગે કે ચોમાસું રૂમાલ લઈને આવ્યું છે!
                                        ગોડનો શ્વાસ છે દીકરી,
                       ડેડનો વિશ્વાસ છે દીકરી!
                       કાયનાતનું સૌન્દર્ય છે,
                       સમાજની આશ છે દીકરી!
------------------------------------------------------------------------------


न  कोई शक अब न कोई शंका ,
मोदीजी का अब बजेगा   डंका !

अगले  पी एम  बनेंगे  नरेंद्र  ही,
है    कोई     इन  जैसा  नरबंका  !
                               'फलक'

Monday, 24 March 2014

                                         સૂરજ  ઊગ્યો રે ,જાગો મારા કંથ તમે,
                                                      સોણલાં પરોઢના સાચાં થાશે  રે !
                                                                              -'કાન્ત'

                                                गज़ल 

                                                        दिल तोड़ना न था तोड़ना पड़ा,
                                                        रिश्ता जोड़ना न था जोड़ना पड़ा !

                                                         तुम नज़र आये एक एक लब्ज़ में,
                                                         कुछ बोलना न था बोलना  पड़ा !

                                                          कितने छिपाये  राज़ अपने भीतर,
                                                          खुदको खोलना न था खोलना पड़ा !

                                                          थीं अभी तक जो कुंवारीं चिटठियाँ,
                                                           तुम्हें  देने दौड़ना न था दौड़ना पड़ा !

                                                           'फलक' होठों में दबी आवाज़ हुँ मैं ,
                                                            कुछ भी छोड़ना न था छोड़ना पड़ा !

                                                                                   -कृष्णकांत भाटिया 'फलक'






Sunday, 23 March 2014

 ગીત 


ઓરડે વાવ્યાં થોર,
કયાંથી બેસે  મોર!

જીવતરની ક્ષણોમાં,
ખોટો છે શોરબકોર!

દિલના તાર તૂટેલા,
ને કરીએ જોરમજોર!

ઉપરથી સારું  લાગે,
અંદર  પોલમપોલ! 

'કાન્ત'હજુ સમય છે,
નહિતર   ડામાડોલ !

                              -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

Thursday, 20 March 2014

--------------------------સ્પર્શ--------------------------------
...કચ્છનો પ્રદેશ ઝાડ-પાન અને મોટા વૃક્ષો વિનાનો સૂકો  મુલક 
જેની એક બાજુ રણ અને બીજી બાજુ દરિયો.હર્યા-ભર્યા મુલકની 
કવિતા કરવી હોય તો સહેલ છે પણ કવિની આંખ તો ઉજ્જડ ધર-
તીની પણ કવિતા કરે છે!
-------------------કચ્છડો મુંજો કામણગારો --------------------
-------------------અય મુંજી અખીયેં જો તારો-------------------
-------------------કુરભાન કરિયાં તન,મન,ધન-----------------
-------------------જોગી જતિયેં જો અય ઓતારો ----------------
...આ જ કવિતાની લોકોત્તર આનંદ પ્રકટ કરવાની ગૂઢ શક્તિ છે.
કવિતાની આ શક્તિને બિરદાવતાં સુરેશ દલાલ કહે છે,' કવિતા મારી 
તરસ છે,કવિતા મારી ગરજ છે,કવિતા મારો કર્મયોગ છે,કવિતાની 
સોબતમાં મને "લાડ"અને "લોર્ડ"બન્ને મળ્યા છે.'જગન્નાથ,અભિનવઅને 
કુંતક જેવા મોટા-મોટા સમર્થ આચાર્યોએ આજ સુધીમાં કવિતાની જુદી 
જુદી વ્યાખ્યાઓ આપી છે.કોઈ 'વાકયં રસાત્મકં કાવ્યમ'-રસાત્મક વાક્યને 
કાવ્ય કહે છે તો કોઈ 'શબ્દાર્થો કાવ્યમ'-શબ્દ અને અર્થ મળીને કાવ્ય બને 
છે એમ કહે છે.તો કોઈ 'રમણીયાર્થ પ્રતિપાદક: શબ્દ: કાવ્યમ'-રમણીય 
અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય છે'-એમ કહે છે.
...કવિતાને સાદી રીતે સમજવી હોય તો એમ કહી શકાય કે,કવિએ પોતે 
અનુભવેલ કોઈ ભાવ કે ઊર્મિને સંવેદનામાં રસીને,એને શબ્દોમાં કંઇક
એવી લયબદ્ધ રીતે એ મૂકી આપે છે કે જે ગદ્ય થી નિરાળું એવું સર્જન બની 
જાય છે.એટલે જ કવિ  માટે પૂ.મોરારીબાપુ કહે છે,'ઉંબરાથી લઈને અંબર 
સુધીની વાતો કરે એ કવિ',કવિતાનું પ્રાગટ્ય પરામાંથી થતું હોય છે.જેનું 
પહેલું કિરણ પરામાંથી નીકળે,મધ્યમાંમાં જાય અને મજબૂરીથી એને વૈખરી 
માં આવવું પડે.મુક્તિ તો પાપીને પણ મળે છે,કારણ કે મુક્તિ મેળવવી સહેલી 
છે પણ મસ્તી મેળવવી અઘરી છે.અને આ મસ્તી કવિતાની દાસી છે!'
...કવિ કવિતા દ્વારા પોતાનો ભાવ ભાવકમાં સંક્રાત કરી શકે છે.કવિતામાં કવિ  
શબ્દ અને અર્થ ને ઓગાળી રસ નિષ્પન્ન કરે છે.રસ એ "ટર્મિનસ"છે.કવિતાનું 
છેલ્લું સ્ટેશન છે.કવિતા વિના શિષ્ટ સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે.સાહિત્યના 
દરબારમાં કવિતા એ રાજરાણી છે.ભાષાની એ કલગી છે.આવી ભમતા ભમરા 
જેવી કવિતા કેમ કરીને ઝીલાય?કવિતા નહિ તો કયારેક કવિતાનો પડછાયો 
ઝીલાઈ જાય તોય ધન્ય !બાકી હું તો એમ જ કહું.......'કવિતા માટે આ જીવન 
કવિતા મારું રામરતન ધન!'
===================================================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.21-03-2014,શુક્રવાર,11:53 AM )
-------------------------------------------------------------------------------

    
----------વૃક્ષોને વાવીએ -------
વૃક્ષોને વાવીએ ને વૃક્ષો જીવાડીયે ,
હાં રે ભેરુ કરીએ સૌ માનવકલ્યાણ !

વૃક્ષો તો છે  ધરતીનું તન મન ધન,
સઘળું અર્પણ કરે આપણાં આ વન!

એને જો કાપશું ને એને જો  બાળશું ,
હાં રે ભેરુ રહેશું શું આપણે  આબાદ?

જંગલ જ આપે છે  સુ-મંગલ જીવન,
વિધ-વિધ સંપદા ને સૃષ્ટિ આ સુંદર!

વનને ઉજાડશું ને વનને સંહારશું તો,
હાં રે ભેરુ કરશું શું  આપણો   વિનાશ ?

સોનાનો સુરજ ઉગાળશે જ આ  વન,
ધરતીની  કૂખને દીપાવશે આ જંગલ!

એનો પોકાર 'કાન્ત' એનો આ અવાજ,
હાં રે ભેરુ સાંભળીયે સૌ મળીને આજ!
-------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------

Thursday, 13 March 2014

---------------------------------  સ્પર્શ -------------------------------------
.....હું  ત્રેસઠ વર્ષનો થયો છું.આ  જીવનનો ક્રમ છે.કશુંક  આવે તો કશુંક જાય છે.
જન્મ,બચપણ,શૈશવ,કિશોરાવસ્થા,યૌવન......એક પછી એક મને વૃધત્વ તરફ
લઈ આવ્યા છે.સેવા નિવૃત્ત થયે પણ આજકાલ કરતાં ચાર વર્ષ થઈ ગયાં.મારા
ફેસ બુક મિત્ર જયસુખ પરસાણાએ હમણાં ફેસબુક પર પોસ્ટિંગ કર્યું હતું,'નિવૃત્ત
થાય એને ક્યાં બે કામ હોય જાણો છો? पेन्शन लेनेका और टेन्शन देने का.....   '
આમાં હું પણ આવી જાઉં ને.....? હા,નિવૃત્ત છું એટલે આ વાક્ય મને પણ લાગુ
પડે.પણ એક વાત છે જયસુખભાઈ કે તમે જિંદગીને કઈ રીતે જીવો છો એના પર
ઘણું અવલંબિત છે.અભિગમ બદલે તો જીવન બદલાઈ શકે છે.વિકસવું હોય તો
નિવૃત્તિ પણ વિકસી શકે છે.
.....આપણી નકારાત્મકતા કોઈને ટેન્શન આપી શકે પણ સકારાત્મકતા ટેન્શન દૂર
પણ કરી શકે.જે માણસ વૃદ્ધાવસ્થાને સૌન્દર્યથી ભરપૂર કરી મૂકે અને અર્થપૂર્ણ
બનાવી શકે એ ચોક્કસ આ સંસારના ટેન્શન દૂર કરી શકે.જે માણસ નિવૃત્તિમાં
પ્રવૃત્તિ શોધી શકે એ કદીયે કોઈ માટે કંટાળાનો પર્યાય ન બની શકે.બસ હું પણ
હંમેશાં ઘોંઘાટ વિનાની ગતિશીલ સક્રિયતા નો ચાહક છું.હા,એમાં મારો ગ્રુપ,મારા
સમવયસ્ક મિત્રો મારી સાથે છે.અમારા મોજીલા મનને કોઈ ટેન્શન સ્પર્શતું નથી.
બાકી તો રિટાયરમેન જેવો કદરૂપો શબ્દ એકે નથી.
.....અમારી પોતાની એક દુનિયા છે.સાંજને અમે અમારા મિલનથી રળિયામણી
કરીએ છીએ.સામાજિક કાર્ય કરીએ છીએ.કોઈ પણ એજન્ડા વિના ગપ્પાં પણ મા -
મારીએ છીએ.અમને અમારા ગજા પ્રમાણે કશુંક મળી રહે છે.એદીની જેમ ઘરમાં
પડ્યા રહેવાનું મને ગમતું નથી.'સાંધ્યદીપ '-વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થામાં
અમે વૃદ્ધો કવિતાને વહેતી મૂકીએ છીએ.'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝિક'  ની બેઠકમાં
સાયગલ,હેમંતકુમાર,ગુલામઅલી,આબિદા પરવીન,રફી,મુકેશ,હેમંતકુમાર ,
મન્નાડે એ ગાયેલાં ગીતો ગાઈએ છીએ.આ અમારું રજવાડું છે.નવરાત્રી જેવાં
ઉત્સવોનું આયોજન પણ કરીએ છીએ.અમને જે ગમે છે એમાં અમે તલ્લીન રહીએ
છીએ.અમે બીજાને બાંકડે બેસતાં નથી!
.....હા,માત્ર ભૂતકાળને નહિ પણ વર્તમાનકાળને પણ સાથે રાખીને ચાલીયે છીએ.
ગાડું ચલાવતા હતા આજે કાર પણ ચલાવીએ છીએ.ગિલ્લી દંડે રમનારા આજે
ચેસ પણ રમીએ છીએ.ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.ઘરડું તો માણસનું
શરીર થાય છે,મન તો સદા તરો-તાજા રહેતું હોય છે.અમે કોઈને ટેન્શન આપતા નથી
પણ આ દુનિયાનું ટેન્શન અમારાં ગીતો,અમારી કવિતાઓના માધ્યમથી દૂર કરીએ
છીએ.
...................................સપનાંને હોય નહીં માઝા ,..................................
...................................રે તોયે અમારાં સપનાંઓ ઓછાં છે :નથી ઝાઝાં....
...................................મળી અમને નાનકડી કેડી,...................................
...................................લીધી એને  શિશુસમ  તેડી....................................
...................................અમારું જ રાજ ને અમે જ રાજા !..............................
 ..................................પ્રાણભરી પ્રીત મળે,..............................................
...................................ગાવાને ગીત મળે,..................................................
...................................હોઠ પર સ્મિતતણાં ફૂલ ખીલે તાજાં !.......................
=========================================================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '(લખ્યા તા.14-03-2014,શુક્રવાર,12:014 PM )
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
---------------------------  સ્પર્શ -------------------------------------
---કચ્છના રાજગોર સમાજના પ્રથમ કલેકટર (કલાસ વન ઓફીસર)--- 
-------------------સ્વ. શ્રી ધનજીભાઈ ગોર ----------------------------
=================================================
...ભગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે? જવાબ સાવ વિચિત્ર છે.
ભગવાનને વહાલા માણસને લોકો 'IDIOT' કહે છે.એ એક એવો માણસ છે,
જે વિચિત્ર જણાય છે.એ વિચિત્ર જણાય છે કારણ કે બધા લોકો વિચારે તેનાં 
કરતાં એ સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોય છે.આના લીધે લોકો 
એની નિંદા કરે છે.
...કચ્છ રાજગોર સમાજના પ્રથમ કલેકટર (ક્લાસ વન ગેજેટેડ ઓફીસર )
સ્વ.ધનજીભાઈ ગોર આવુંજ વ્યક્તિત્વ હતા.(હમણાં એક અભિનંદન જાહેરાતમાં 
આ સમાજનાં એક પનોતા પુત્રને સિનિયર ક્લાસ વન ઓફિસરનું પ્રમોશન 
મળ્યું એમાં એમને પ્રથમ ક્લાસ વન ઓફીસર તરીકે બતાવવામાં આવ્યા 
હતા પણ હું જાણું છું ત્યાં સુધી સ્વ.ધનજીભાઈ રાજગોર સમાજના પ્રથમ 
ક્લાસ વન ઓફિસર હતા.)
...ધનજીભાઈ પ્રામાણિકતાના પર્યાય હતા.સાદું જીવન,પોતાના પદનું ગૌરવ,
કોઈની શેહમાં ન આવવું ,કયારેય કંઈ ખોટું ન કરવું, સત્ય પંથે ચાલવા માટે 
અંગત સુખ-સુવિધાને જતી કરવી.અને આના માટે ઘણીવાર સ્વજનો સાથે 
પણ સંઘર્ષ કરવો.
...મિત્રો,સૂફી વિચારધારાના વિખ્યાત 'આલિમ ઇન્દ્રીસ શાહ'ના એક પુસ્તકનું 
મથાળું છે :'WISDOM  OF THE IDIOTS '.મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને 
સમજાયું કે,'IDIOT,' બનવાનું સૌના નસીબમાં નથી હોતું!આ દેશના ગોવિંદ 
રાંધો ખેરનાર,જગદીશન,કિરણ બેદી,સ્વ.ધનજીભાઈ જેવા અધિકારીઓ 
સાચા અર્થમાં 'IDIOT' હતા.સલામ છે એમને!
--------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.13-03-2014,ગુરુવાર,02:08 P M )
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Monday, 10 March 2014

-----------ગીત -----------
કોણ જગાવે મને ઊંઘમાંથી ,
કોણ કરે કલશોર અહીં?

કોણ જાગૃત કરે ચેતના,
મારા સુષુપ્ત મન  મહીં ?

કોણ વીંજણો વીંઝે પવનનો,
મારા આંગણે અહીં તહીં ?

કોણ પૂરે સંધ્યાના રંગો ,
મારી ભીંતે,કહું છતાં હું નહીં નહીં ?

કોણ આવે મારી આંખોમાં,
સપનાં રોજ લઈ -લઈ ?

કોણ ખીલવે નમણું ફૂલ,
રોજ મઘમઘે ભઈ -ભઈ ?

કોણ વહાવે ઝરણ-સરિતા,
'કાન્ત'  અફાટ  રણ મહીં ?
---------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------

Sunday, 9 March 2014

--------------------------સાંધ્ય દીપ --------------------------------
      (વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા,દાદા દાદી પાર્ક,ભુજ)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
===================ઝાલર========================
-------------------(કાવ્ય સંગ્રહ-2013-2014)---------------------------

...............................................................................................................
---ભુજમાં વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા છેલ્લાં નવ વર્ષથી કાર્ય 
રત છે.દર શુક્રવારે દાદા-દાદી પાર્કમાં સાંજે આ સંસ્થાના કવિ ભાઈ-
બહેનો એકત્ર  થઈને પોતાની લાગણીઓને કાવ્યના રૂપમાં વાચા આપે 
છે.
---આ સંસ્થાએ ફેબ્રુઆરી-2014માં દસમાં વર્ષમાં પ્રવેશ કર્યો.તા.16-2 ના 
દિવસે ભુજના જીલ્લા પંચાયત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોતાનો 
કાવ્ય સંગ્રહ 'ઝાલર' પ્રકટ કર્યો.'ઝાલર' નું વિમોચન જાણીતા કવિવર જયંતિ 
જોશી 'શબાબ ' ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
---આ કાવ્ય સંગ્રહમાં પ્રા.કમલભાઈ મહેતા,શ્રી કનુભાઈ જોશી,શ્રી કૃષ્ણકાન્ત 
ભાટિયા 'કાન્ત',શ્રી ભગવાનજી પીઠડ,શ્રી નવીન ત્રિપાઠી 'અલ્પ ',શ્રી શંકરલાલ 
જોશી 'અનુજ',શ્રી ચન્દ્રવદન ધોળકિયા,શ્રી અબદુલ્લ લતીફ મેમણ,શ્રી જયંત 
પાઠક,શ્રી સરોજભાઈ ગોર,શ્રી જગદીશ ગોર 'પાગલ',શ્રી દેવેન્દ્ર શર્મા,શ્રી 
શૈલેશભાઈ પંડ્યા,શ્રીમતી સ્મિતાબેન માનસત્તા,શ્રીમતી પુષ્પાબેન વૈદ્ય 'અમી',
શ્રીમતી લત્તાબેન સોલંકી,નિર્મળાબેન ત્રિપાઠી 'નિર્મલ',સરસ્વતીબેન સોલંકી,
શ્રીમતી રમીલાબેન મહેતા,શ્રીમતી હેમલતાબેન ગઢવી ,શ્રીમતી સરલાબેન 
છાયા અને શ્રીમતી નિહારિકાબેન ધોળકિયાની કવિતાઓ છે.
---આ કાવ્ય સંગ્રહ 'ઝાલર'માં કચ્છી,ગુજરાતી અને હિન્દી રચનાઓ પ્રસિદ્ધ 
થઈ  છે.એમાં મનની વાતો છે,ભાવના છે,પ્રકૃતિ પ્રેમ છે,આક્રોશ છે,પ્રભુ ભક્તિ 
છે,ગીત છે તો ગઝલ પણ છે.આ કવિઓ વરિષ્ઠ નાગરિકો છે અને તેમની પાસે 
જીવતરના અનુભવનું ભાથું છે.સંચાર છે ત્યાં કડવા-મીઠા અનુભવ તો થવાના 
હોય અને એ અનુભવોને અહીં આ કવિઓએ વાચા આપી છે!
---આ કાવ્ય સંગ્રહમાં કેટલીક કવિતા એવી છે કે જે કડવા અનુભવોનું બયાન 
કરે છે,પણ સાથે નોંધવા જેવી વાત એ પણ છે કે આ વયે પણ તેમને આશાનું 
કિરણ દેખાય છે.ગીત,ગઝલ,મુક્તક ,હાઇકુ,દોહા,સુભાષિતોથી સમૃદ્ધ 'ઝાલર'
વાંચવા જેવું કાવ્ય સંગ્રહ છે.
=======================================================

Monday, 3 March 2014

------------ ગીત -------------
શું આંખનાં આંસુ કયારે બોલે છે?
જે સાથ દે તે સાથને શું તોલે  છે?

ગીતના ભાવ સૂવે  દર્દના કિનારે,
કોણ પહોંચે ત્યાં ?  રવિ પણ  હારે!

તકદીર  પણ  આમતેમ ડોલે  છે,
શૂન્ય પણ  પ્રેમ પટારો  ખોલે છે!

જયોતિમાં ડૂબે  પરોઢના સિતારા,
નિર્જીવ થઇ ગયા પ્રાણના ઈશારા!

કોઈ સંવેદના વિરહ સદન તોડે  છે,
પગરવ સદીઓના એમાં  ખોળે છે!

પવન લહેરખી આજે આવી વહારે,
ઋતુએ રંગ બદલ્યો વસંતના સહારે!

કેટલાં અરમાન 'કાન્ત' ને   જોડે છે,
રજની હળવે હળવે આંખને ચોળે છે!
------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
-------------------------------------