સ્પર્શ
...મુંબઈ મારું પ્રિય શહેર છે.હું ભણતો ત્યારે 'મુંબઈ'નહોતું 'બોમ્બે
હતું.આ 'બોમ્બે' ને મેં પગે ચાલીને ખૂંદયું છે.આજથી પાંચ દાયકા
પહેલાનું મુંબઈ કદાચ મારી દ્રષ્ટિએ આટલી ગતિથી નહોતું દોડતું !
હા ઝડપ હતી,પરંતુ માણસ યંત્ર નહોતો બની ગયો.થોડી ઘણી સં -વેદનાઓ જીવંત હતી.હું મુંબઈ જતો ત્યારે લગભગ રોજ એક ફિલ્મ
જરૂર જોતો.અને મારા ગામ પાછો આવું ત્યારે ગૌરવથી મારા મિત્રો
આગળ એનું વર્ણન કરતો કારણ કે એ જમાનામાં મુંબઈમાં ફિલ્મ
રજુ થાય ત્યાર બાદ એકાદ વર્ષ પછી ભુજમાં આવતી.
...હવે આ રોમાંચ નથી રહ્યો.એકવીસમી સદીએ બધું ઝુંટવી લીધું
છે.હવે નથી મુંબઈમાં ટ્રામ,નથી વિક્ટોરિયા,નથી એ ભેલ કે નથી
ઉસળ-પાઉં.....આજે મુંબઈનો માણસ કોઈ પણ રાવ ફરિયાદ વગર
જીવતો જાય છે.કામના સ્થળથી દૂર રહે છે.ભરચક ટ્રેનમાં મુસાફરી
કરે છે.એને તો લટકતાં લટકતાં જવાનું અને લટકતાં લટકતાં આ-
વવાનું.ઈસુ તો એક જ વાર ક્રોસ પર લટક્યા મુંબઈગરો રોજ લટકે
છે.
...મરાઠી વાર્તાકાર અરવિંદ ગોખલેએ 'મંજુલા'નામની વાર્તા લખી
છે.એમાં ઘર અને કારકિર્દીને સંભાળતી સ્ત્રીની કથા-વ્યથા છે.અંધેરી
રહેતી સ્ત્રી સાંજના ચર્ચગેટથી ઘરે જાય છે ત્યારે ટ્રેન ઊપડવાની તૈયા -
રીમાં હોય છે.ટ્રેન ચૂકી ન જવાય એટલા માટે ઉતાવળમાં સ્ત્રીઓના
ડબ્બાને બદલે પુરુષોના ડબ્બામાં ચઢી જાય છે.હકડેઠઠ ભીડ છે.પરસે -
વાથી ગંધાતો ભૈયો પણ છે.શ્વાસ ન લઈ શકાય એટલી બધી અકળામણ
છે.માંડ માંડ અંધેરી સ્ટેશને ઊતરે છે.ઘરે જાય છે.ઘરે જઈને રાંધવાનું
છે.પતિ શિરીષની નાની મોટી માગ પૂરી કરવાની છે.
...રાતે જયારે શિરીષ મંજુલાને આશ્લેષ અને આલિંગનમાં લે છે ત્યારે
મંજુલાને બાહુપાશમાં ટ્રેનની ભીડનો અનુભવ થાય છે.ઘરમાં સલામત
રહી શકીએ એટલા માટે ઘરની બહાર રહીને નોકરી કરવી પડે એ ઘ-
ટના રતિસુખને પણ ભૂંસી નાખે છે. કવિ દેવીપ્રસાદ વર્માએ પણ લખ્યું
છે :'તું નહીં શકુંતલા,હું નહીં દુષ્યંત,સાધારણ નારી-નર આપણે,રોજી
ને રોટીના ચક્કરમાં જીવનનો અંત.'
-------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.05-07-2014,શનિવાર,10:32PM)
-------------------------------------------------------------------- -----------
...મુંબઈ મારું પ્રિય શહેર છે.હું ભણતો ત્યારે 'મુંબઈ'નહોતું 'બોમ્બે
હતું.આ 'બોમ્બે' ને મેં પગે ચાલીને ખૂંદયું છે.આજથી પાંચ દાયકા
પહેલાનું મુંબઈ કદાચ મારી દ્રષ્ટિએ આટલી ગતિથી નહોતું દોડતું !
હા ઝડપ હતી,પરંતુ માણસ યંત્ર નહોતો બની ગયો.થોડી ઘણી સં -વેદનાઓ જીવંત હતી.હું મુંબઈ જતો ત્યારે લગભગ રોજ એક ફિલ્મ
જરૂર જોતો.અને મારા ગામ પાછો આવું ત્યારે ગૌરવથી મારા મિત્રો
આગળ એનું વર્ણન કરતો કારણ કે એ જમાનામાં મુંબઈમાં ફિલ્મ
રજુ થાય ત્યાર બાદ એકાદ વર્ષ પછી ભુજમાં આવતી.
...હવે આ રોમાંચ નથી રહ્યો.એકવીસમી સદીએ બધું ઝુંટવી લીધું
છે.હવે નથી મુંબઈમાં ટ્રામ,નથી વિક્ટોરિયા,નથી એ ભેલ કે નથી
ઉસળ-પાઉં.....આજે મુંબઈનો માણસ કોઈ પણ રાવ ફરિયાદ વગર
જીવતો જાય છે.કામના સ્થળથી દૂર રહે છે.ભરચક ટ્રેનમાં મુસાફરી
કરે છે.એને તો લટકતાં લટકતાં જવાનું અને લટકતાં લટકતાં આ-
વવાનું.ઈસુ તો એક જ વાર ક્રોસ પર લટક્યા મુંબઈગરો રોજ લટકે
છે.
...મરાઠી વાર્તાકાર અરવિંદ ગોખલેએ 'મંજુલા'નામની વાર્તા લખી
છે.એમાં ઘર અને કારકિર્દીને સંભાળતી સ્ત્રીની કથા-વ્યથા છે.અંધેરી
રહેતી સ્ત્રી સાંજના ચર્ચગેટથી ઘરે જાય છે ત્યારે ટ્રેન ઊપડવાની તૈયા -
રીમાં હોય છે.ટ્રેન ચૂકી ન જવાય એટલા માટે ઉતાવળમાં સ્ત્રીઓના
ડબ્બાને બદલે પુરુષોના ડબ્બામાં ચઢી જાય છે.હકડેઠઠ ભીડ છે.પરસે -
વાથી ગંધાતો ભૈયો પણ છે.શ્વાસ ન લઈ શકાય એટલી બધી અકળામણ
છે.માંડ માંડ અંધેરી સ્ટેશને ઊતરે છે.ઘરે જાય છે.ઘરે જઈને રાંધવાનું
છે.પતિ શિરીષની નાની મોટી માગ પૂરી કરવાની છે.
...રાતે જયારે શિરીષ મંજુલાને આશ્લેષ અને આલિંગનમાં લે છે ત્યારે
મંજુલાને બાહુપાશમાં ટ્રેનની ભીડનો અનુભવ થાય છે.ઘરમાં સલામત
રહી શકીએ એટલા માટે ઘરની બહાર રહીને નોકરી કરવી પડે એ ઘ-
ટના રતિસુખને પણ ભૂંસી નાખે છે. કવિ દેવીપ્રસાદ વર્માએ પણ લખ્યું
છે :'તું નહીં શકુંતલા,હું નહીં દુષ્યંત,સાધારણ નારી-નર આપણે,રોજી
ને રોટીના ચક્કરમાં જીવનનો અંત.'
-------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.05-07-2014,શનિવાર,10:32PM)
-------------------------------------------------------------------- -----------
No comments:
Post a Comment