સ્પર્શ
.....'નાટક એ ચાક્ષુષ યજ્ઞ છે. જેમાં કલાકારે આયુષ્યના સમિધ
હોમવા પડે છે. કોઈ પણ મિનિસ્ટર એક્સ મિનિસ્ટર થાય પણ
કલાકાર કોઈ દિવસ એક્સ કલાકાર નથી થતો.અભિનયયાત્રા
સાથે જીવન યાત્રા જોડાઈ જતી હોય છે.આ એક્સન રિપ્લે અને
હાઈલાઈટ્સ પણ છે. બધાજ મંદિરોની પ્રદક્ષિણા થાય છે પરંતુ
શંકરના મંદિરની પ્રદક્ષિણા પૂર્ણ નથી થતી. ગૌમુખ પાસે બે ડગ-
લા અટકીને ફરી જવું પડે છે.....'
.....પૂ.મોરારીબાપુના 2010 માં યોજાયેલા 13 માં 'અસ્મિતા પર્વમાં '
ઉપરોક્ત શબ્દો ઉપેન્દ્રભાઈ એ ઉચ્ચાર્યા હતા જે ગઈકાલે ભુજ
ખાતે 'રતન ગિયું રોળ 'ના મંચન વખતે અક્ષરે-અક્ષર જીવંત થ-
યા હતા.આ 'અભિનય સમ્રાટે એક બાજુ રણ અને બીજી બાજુ
ઝરણ છે અને એ બે અંતિમોની વચ્ચે કલાકારે કામ કરવાનું
હોય છે એ સાબિત કરી બતાવ્યું.
.....ઉપેન્દ્રભાઈને પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મના અદાકાર તરીકે ભલે
ઓળખતા હોય પણ એ રંગમંચના જીવ છે.જેમણે પણ એમનો
આ 'એક પાત્રીય અભિનય જોયો છે એ મારી વાત સાથે સંમત
થશે કે,નાટક એમના જીવનનું પ્રયોજન છે.સારસર્વસ્વ છે.એ એ-
ના માટે જ જન્મ્યા છે.નાટક એ એમનું વસ્ત્ર નથી પણ ત્વચા છે.
.....ગુજરાતમાં લોકજીભે કહેવાતી લોક સાહિત્યની વાતો ચારણી
સાહિત્યને આભારી છે.સાહિત્ય એ શબ્દરૂપી પ્રાણ છે.જો ચારણી
સાહિત્ય ન હોત તો ગુજરાત સાહિત્ય ક્ષેત્રે કંગાળ હોત.ચારણી
સાહિત્યના 'ડિંગળ 'શબ્દોને ધીંગા શબ્દો એમ કહેવાય છે.જેનો
અનુભવ ઉપેન્દ્રભાઈએ ગઈ કાલે સુપેરે કરાવ્યો.
.....મેઘાણીના રચેલાં પાત્રો ચારણ ,રતન,પોરહાવાળોને આ
નાયકે મંચ પર આબેહૂબ રજુ કર્યા.એક જ કલાકાર જુદાં -જુદાં
પાત્રોને સહજતાથી ભજવે એ એક ચમત્કાર છે.આવું કરવા માટે
અદાકારે પાત્રોને પોતાની ભીતર જીવાડવા પડે અને વેદના પણ
સહન કરવી પડે.ઉપેન્દ્ર ભાઈ એ જેસલથી માંડીને ભરથરી સુધીનાં
નાયકોને પોતાના લોહીમાં ઉછેર્યાં છે એમાં કોઈ શંકા નથી.
.....'રતન ગિયું રોળ ' જોતાં લાગ્યું કે,આવી અભિવ્યક્તિ કરવી
એ કોઈ એવોર્ડના દાયરામાં ન સમાય તેવું અચિવમેન્ટ છે.રડીને
માણસ કોઈને ભેટી પડે અને કોઈને ભેટીને રડી પડે તે ઘટના
શાબ્દિક રીતે જ નહીં ,તાત્વિક રીતે પણ અલગ-અલગ છે.આ વા-
તની પ્રતીતિ આ કલાકારે પોતાના અભિનયથી કરાવી.
.....આ ઉંમરે પણ તેમની બોડી લેન્ગવેજ ,ઘૂંટાયેલો અવાજ, રજુ-
આત,શૈલી,વેદનાની અભિવ્યક્તિ,પ્રેક્ષકો સાથેનું જોડાણ,વર્ણન,એન્ટ્રી-
અને એક્જિટ ની કુશળતા કાબિલે દાદ હતા.આ કલાકારને પ્રત્યક્ષ
અભિનય કરતો જોવો એ એક લહાવો છે.ભુજની જનતાને આવો
મોકો આપવા બદલ 'કચ્છ મિત્ર ' ને ખૂબ-ખૂબ વધાઈ !ઉપેન્દ્રભાઈ
ની ઈચ્છા મુજબ અને ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ
યોગેશ ગઢવીના ઈજન મુજબ આવા પ્રયોગોનું મંચન કચ્છના
તખ્તા પર થાય તે માટે 'કચ્છમિત્ર' પ્રયોગશીલ રહે અને ઝવેરીલાલ સોનેજી જેવા કલાપારખુઓ પણ સક્રિય ભાગ ભજવે
એવી મનોકામના! ફરીથી કચ્છમિત્ર પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન !
--------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા. 30-06-2014,સોમવાર,11:26 AM
---------------------------------------------------------------------------------