સ્પર્શ
ફરી એ જ આતંક.......
ફરી એકવાર બેરહમ ગોળીબાર.....
ને પેશાવરની ભૂમિ પર માસુમ
બાળકોની લાશો ઢળી પડી !
કોઈકે કહ્યું છે કે 'કીડી ચાલી જતી હોય તો
સંભાળીને પગ મૂકજો......
કદાચ એ એના સાસરે જતી હોય !'
પણ આ તો નરપિચાશો.....
મોતના સોદાગરો....
એમને આ વિચાર સાથે શું લેવા-દેવા?
હા, આજે આંસુ સુકાયાં છે જગતની મા ના,
હૈયું ફાટ્યું છે પાકિસ્તાનનું !
સ્કૂલ બસમાં ગયેલાં અને નનામીમાં
પાછાં આવેલાં પેટે જણેલા સંતાનોની
લાશો જોઈને જનેતા ધોધમાર રડી છે !
આતંકના 'ભસ્માસુર'ને આપણે જ
વરદાન આપ્યું છે......
એ તો શિવ હતા જેમણે આ રાક્ષસનો
નાશ કર્યો આપણે તો ટુકડે ટુકડામાં
વહેંચાયેલા માણસો (જાનવરો)છીએ
કોઈ મરતું હોય...જીવતું હોય....
સળગતું હોય......આપણને શું ???
યાદ રાખો ભારત હોય,પાકિસ્તાન હોય,
અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ હોય
આવી ક્ષણે મરે તો માનવતા છે !
કોઈનો પુત્ર,કોઈનો પિતા,કોઈનો પતિ
કોઈનો ભાઈ,કોઈની બહેન ચિતા પર
ચડે છે.....પણ આજે તો પેશાવરમાં
બુદ્ધ-મહાવીર-પેગંબર-ઇસુ-મૂસાની
કરુણા બાળકો સાથે કબરમાં પોઢી ગઈ છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment