Friday, 14 September 2018

મર્મ ને સમજ !

નામ  ના  મર્મને  સમજ  મનવા,
મેલીને  સઘળાં ,હું પદ ,દમામ .
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ  !

આ   માયા જૂઠી  ને ,નામ  નાશવંત ,
જીવન  પથ  છે  દુર્ગમ. 
મન સૂકાઈ  જાય ,આશાઓ  પજવે,
તને બચાવી  શકે  ભગવંત !

અગમ-નિગમને પરખ  મનવા,
ખેલ  કપટના  છોડી દે તમામ !
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ  !

આ 'હું ' આ 'મારું ', બન્યું  બિચારું,
ઘડી  જાગી  ગઈ ,બાહિર ને ભીતરે !
પવન  લહેરે ,ચારે  દિશાઓ  ઝૂમે,
ભાગવા  માંડયું  છે  નઠારું !

સમ દુઃખી ના લોચન લૂ  ને મનવા,
ભીડવી  છે  તને ભવોભવની  હામ.
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ !

આઠે  પ્હોર ઉભરાય અવનવા મનોરથો,
છેલ્લા  શ્વાસે પણ એષણાઓ પજવે.
મર્મ  કેમે સમજાય નહીં ,જીવ તરફડે,
ચારે બાજુ બરાડા  પાડે  અનર્થો  !

હરિનું  શરણ ,એનું મર્મ  સમજ મનવા,
આવી ગયું હવે તારું મુકામ,
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ .મો .99090  71588 

  

No comments:

Post a Comment