Thursday, 22 December 2016

ગઝલ 

સૂર   સાધ્યા   છે  તો   ડોલ્યા કરો,
મનની  ગાંઠને   તમે ખોલ્યા કરો.

અસત્યોમાં  ભલે વિજય  દેખાતો,
કયારેક  સાચું  પણ  બોલ્યા  કરો.

વજન  પડશે   તમારા   શબ્દોનું ,
ધર્મના  કાંટે  એમને તોલ્યા  કરો.

ભલે પ્રાણ કદીક રેણ  થઈ જાતાં,
ખં ડિતોને  હંમેશાં   જોડયા  કરો.

અભિમાન  પજવે  છે   આત્માને,
'હું'  ના  ચક્રવ્યૂહને  તોડયા  કરો.
                     ***
-'કાન્ત '


No comments:

Post a Comment