Tuesday, 5 March 2019

પરીક્ષાર્થીઓ  !

ધો.10-12 ની  પરીક્ષા  આપવા માટે 
સજ્જ  થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો 
હંસ  પર બિરાજિત  સરસ્વતી 
હમણાંજ  મને કહી ગયા  
'કવિ,મારો એક  સંદેશો  પરીક્ષાર્થીઓ 
સુધી  વહેતો મૂકીશ..'
મેં કહ્યું , 'દેવી !જેવી તમારી આજ્ઞા !'
સરસ્વતી  બોલ્યા :
'છાત્રો :'તમે બધા મારા ઉપાસકો છો 
સૂર્યને શોધો અને સૂર્યને ઉથાપો 
એવું  તેજ તમારામાં છે.
પરીક્ષા ખંડમાં  પ્રવેશો  ત્યારે 
બિલકુલ ઘબરાતા નહીં.
શાંત ચિત્તે  પેપર લખજો.
પ્રશ્નપત્રને  સમજજો  !
ઉતાવળ જેવો બીજો કોઈ શત્રુ નથી,
ઉતાવળથી કોઈ કામ સફળ થતું નથી !
તમારું સમગ્ર ધ્યાન પેપર લખવામાં 
પરોવજો ,કોઈ મૂંઝવણ હોય 
તો આપસમાં  નહીં.નિરીક્ષકને પૂછજો ,
બની શકે તો સારા અક્ષર કરજો !
હૈયામાં હામ અને  ધ્યાન ધરજો ,
સફળતા તમારી રાહ જોઈ રહી છે,
નિષ્ફ્ળતા ખૂણામાં રોઈ રહી છે !
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                        


No comments:

Post a Comment