સંપાદકીય
'સાંધ્યદીપના બારમા કાવ્ય સંગ્રહ 'ઝાલર 'નું આજે લોકર્પણ થાય છે એ અમારા માટે આનંદની
ઘટના છે.વર્ષ -2005માં અમારી વરિષ્ઠ નાગરિક કવિઓની આ સંસ્થા અસ્તિત્વમાં આવી ત્યારથી કરી-
ને આજ સુધી ભુજના દાદા-દાદી પાર્કનો એક ખૂણો કવિતામય બની રહ્યો છે.અમારામાં પડેલી 'લેખન
શક્યતાને ' આ ખૂણાએ ઉજાગર કરી છે. કવિતામાં પડેલી મોજને આંખ-કાન અને હૃદયથી પરખાય છે.
અને આ મોજને અમે બરાબર પારખી છે.અમે કવિતા રચીએ છીએ,કવિતાનો પાઠ કરીએ છીએ અને મોં-
જથી જીવીએ છીએ.
'ઝાલર'ની વાત કરું તો આ નામકરણ ભગવાનજીભાઈ પીઠડે કર્યું છે.એ અર્થમાં એ 'ઝાલરના
ફઈ છે.અને અમે કવિઓ સાંજ ટાણે શબ્દોની 'ઝાલાર ' વગાડીએ છીએ. ' રણકે છે અહીં ઝાલર શબ્દ
થઈને ,કવિતા ઊડે છે અહીં અબ્દ થઈને !' આ કવિઓનો ખૂણો છે, ઉગી નીકળે છે ગીત-ગઝલ લબ્ધ
થઈને ! અમારા 'સાંધ્યદીપને ' બારી-બારણાં કે છત નથી.કદાચ તેથી જ આખું આકાશ અમારે ત્યાં
ડોકાય છે.સૂર્ય કે ચંદ્રને અહીં ટકોરા મારવા નથી પડતા.અહીં ઊભેલું વૃક્ષ અમારી આંખમાં વવાઈ જા-
ય છે.
આ કાવ્ય સંગ્રહમાં અમારા કવિઓએ રંગભૂમિ ,પ્રકૃતિ પ્રેમ,કર્મયોગ,અધ્યાત્મ ઇત્યાદિ અનેક
વિષય પર કવિતા લખી છે.બે પંક્તિઓના આધારે કુદરતનું દર્શન પણ કરાવ્યું છે.'ગીતો મધુર કાને
પડે ,રંગીનતા ડોલે.'કમર ' રેલાય મસ્તી મસ્તાનની ,બારાખડીના બાગમાં.'કહેવાતા ઘરડા પણ મન-
થી નાના વયસ્ક કવિઓની કવિતા 'ઝાલર'માં પ્રગટ થઇ છે.હું સમજુ છું ત્યાં સુધી 'આ કાવ્ય સંગ્રહ બ-
જારમાં ખપે કે ના ખપે,અમારું અંતર તો એને જ જપે !'આ કવિતાઓ અમારામાં સદાકાળ જીવંત
રહેશે,કારણ કે આ જ અમારી મોજ છે.....આ જ અમારો આનંદ છે !
આજે બે માણસ મળતા જ નથી. તેમનાં પ્રતિબિંબ મળે છે .'ઝાલર ' એ કવિતાનું મિલન છે.
એટલે એનો રણકાર પણ મીઠો જ હોય !એ ભાવકોને જરૂર પ્રસન્ન કરે.કવિતા વગરનું જીવન અમારે
મન તો શુષ્ક જ લાગે. તમે ટાગોરનું કોઈ પણ ગીત વાંચો મન પ્રફુલ્લિત થઈ જાય. એક ઠેકાણે ટા -
ગોર કહે છે ,'હે ઈશ્વર હું તમને સવારના સોનેરી ગાલીચા પર બિરાજેલા જોઉં છું !અમારા કવિય -
ત્રી પણ કહે છે,' તું સમી સાંજે અચૂક દરિયા કિનારે આવજે ,હું દૂરથી તારી ઉપાસનાની સુગંધ
માણી શકું છું !આ કલ્પના જ કેટલી અદભુત છે !પરમેશ્વરને પામવા નથી; દૂરથી જોવા છે. ખરા
અર્થમાં આ સાચી ભક્તિ છે.વાણીનો સ્વામી કવિ,દૂરથી પરમેશ્વરનું સ્વાગત કરી શકે છે.
અમે વયસ્ક કવિઓ અમારા એકાંતને માણીએ છીએ। ...અમારી જાતને આદર આપીએ છી -
એ. અમારી ઈચ્છા કવિતા તરફ વળી છે.અમારે મન એ જ પ્રાર્થના છે.અમારા હૃદયની પાનખરને
કવિતા દૂર કરે છે.આ કવિતા અમને બહારથી ઠેઠ અંદર સુધી લઈ જાય છે.હા છેલ્લે એક વસવસો
રહી જાય છે કે અમારા પ્રમુખ અને કવિ કનુભાઈ જોશી સદેહે આ અવસરે અમારી વચ્ચે નથી.
કવિતાના એક કાર્યક્રમમાં તેમણે આ લખનારના હાથમાં દેહ છોડ્યો।....થોડી સેકંડમાં એ હતા
ન હતા થઈ ગયા.આટલી નજીકથી મૃત્યુને મેં પહેલીવાર જોયું. હું કશુંજ કરી ન શક્યો.શું કરી શકું ?
હજુ અસ્વસ્થ છું ! 'હસું છું હસાતું નથી,ધોધમાર રડતું નથી ! કનુ તો ગયો, કનુ પાસે જવાતું નથી !
'ઝાલરને પ્રકાશિત કરવા માટે છેલ્લાં દસ વર્ષથી શ્રી કાકુભાઈ ચત્રભુજ રગવાલા મેમો-
રિયલ તટ્રસ્ટ તરફથી અમને આર્થિક સહયોગ મળતો રહ્યો છે ત્યારે આ ટ્રસ્ટના સેટલર શ્રીમતી
હિનાબહેન માનસત્તા ,ટ્રસ્ટી શ્રી અજિતભાઈ માનસત્તાનો અહીંથી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ.
જેમણે હમેશાં અમારી પીઠ થાબડી છે એવા એડવોકેટ શ્રી શંકરભાઈ સચદે,કવિ શ્રી જોરાવર
સિંહજી રાઠોડ 'ચાંદ',કવિવર શ્રી જયંતિ જોશી 'શબાબ ' શ્રી મદનકુમાર અંજારિયા 'ખ્વાબ ' અને
મુદ્રણ માટે ભવાની કોંપ્યુટરના શ્રી શૈલેષભાઈ રાવલના આભારી છીએ. આશા છે 'ઝાલર 'આપ-
ને ગમશે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સંપાદક મંડળ
'સાંધ્યદીપના બારમા કાવ્ય સંગ્રહ 'ઝાલર 'નું આજે લોકર્પણ થાય છે એ અમારા માટે આનંદની
ઘટના છે.વર્ષ -2005માં અમારી વરિષ્ઠ નાગરિક કવિઓની આ સંસ્થા અસ્તિત્વમાં આવી ત્યારથી કરી-
ને આજ સુધી ભુજના દાદા-દાદી પાર્કનો એક ખૂણો કવિતામય બની રહ્યો છે.અમારામાં પડેલી 'લેખન
શક્યતાને ' આ ખૂણાએ ઉજાગર કરી છે. કવિતામાં પડેલી મોજને આંખ-કાન અને હૃદયથી પરખાય છે.
અને આ મોજને અમે બરાબર પારખી છે.અમે કવિતા રચીએ છીએ,કવિતાનો પાઠ કરીએ છીએ અને મોં-
જથી જીવીએ છીએ.
'ઝાલર'ની વાત કરું તો આ નામકરણ ભગવાનજીભાઈ પીઠડે કર્યું છે.એ અર્થમાં એ 'ઝાલરના
ફઈ છે.અને અમે કવિઓ સાંજ ટાણે શબ્દોની 'ઝાલાર ' વગાડીએ છીએ. ' રણકે છે અહીં ઝાલર શબ્દ
થઈને ,કવિતા ઊડે છે અહીં અબ્દ થઈને !' આ કવિઓનો ખૂણો છે, ઉગી નીકળે છે ગીત-ગઝલ લબ્ધ
થઈને ! અમારા 'સાંધ્યદીપને ' બારી-બારણાં કે છત નથી.કદાચ તેથી જ આખું આકાશ અમારે ત્યાં
ડોકાય છે.સૂર્ય કે ચંદ્રને અહીં ટકોરા મારવા નથી પડતા.અહીં ઊભેલું વૃક્ષ અમારી આંખમાં વવાઈ જા-
ય છે.
આ કાવ્ય સંગ્રહમાં અમારા કવિઓએ રંગભૂમિ ,પ્રકૃતિ પ્રેમ,કર્મયોગ,અધ્યાત્મ ઇત્યાદિ અનેક
વિષય પર કવિતા લખી છે.બે પંક્તિઓના આધારે કુદરતનું દર્શન પણ કરાવ્યું છે.'ગીતો મધુર કાને
પડે ,રંગીનતા ડોલે.'કમર ' રેલાય મસ્તી મસ્તાનની ,બારાખડીના બાગમાં.'કહેવાતા ઘરડા પણ મન-
થી નાના વયસ્ક કવિઓની કવિતા 'ઝાલર'માં પ્રગટ થઇ છે.હું સમજુ છું ત્યાં સુધી 'આ કાવ્ય સંગ્રહ બ-
જારમાં ખપે કે ના ખપે,અમારું અંતર તો એને જ જપે !'આ કવિતાઓ અમારામાં સદાકાળ જીવંત
રહેશે,કારણ કે આ જ અમારી મોજ છે.....આ જ અમારો આનંદ છે !
આજે બે માણસ મળતા જ નથી. તેમનાં પ્રતિબિંબ મળે છે .'ઝાલર ' એ કવિતાનું મિલન છે.
એટલે એનો રણકાર પણ મીઠો જ હોય !એ ભાવકોને જરૂર પ્રસન્ન કરે.કવિતા વગરનું જીવન અમારે
મન તો શુષ્ક જ લાગે. તમે ટાગોરનું કોઈ પણ ગીત વાંચો મન પ્રફુલ્લિત થઈ જાય. એક ઠેકાણે ટા -
ગોર કહે છે ,'હે ઈશ્વર હું તમને સવારના સોનેરી ગાલીચા પર બિરાજેલા જોઉં છું !અમારા કવિય -
ત્રી પણ કહે છે,' તું સમી સાંજે અચૂક દરિયા કિનારે આવજે ,હું દૂરથી તારી ઉપાસનાની સુગંધ
માણી શકું છું !આ કલ્પના જ કેટલી અદભુત છે !પરમેશ્વરને પામવા નથી; દૂરથી જોવા છે. ખરા
અર્થમાં આ સાચી ભક્તિ છે.વાણીનો સ્વામી કવિ,દૂરથી પરમેશ્વરનું સ્વાગત કરી શકે છે.
અમે વયસ્ક કવિઓ અમારા એકાંતને માણીએ છીએ। ...અમારી જાતને આદર આપીએ છી -
એ. અમારી ઈચ્છા કવિતા તરફ વળી છે.અમારે મન એ જ પ્રાર્થના છે.અમારા હૃદયની પાનખરને
કવિતા દૂર કરે છે.આ કવિતા અમને બહારથી ઠેઠ અંદર સુધી લઈ જાય છે.હા છેલ્લે એક વસવસો
રહી જાય છે કે અમારા પ્રમુખ અને કવિ કનુભાઈ જોશી સદેહે આ અવસરે અમારી વચ્ચે નથી.
કવિતાના એક કાર્યક્રમમાં તેમણે આ લખનારના હાથમાં દેહ છોડ્યો।....થોડી સેકંડમાં એ હતા
ન હતા થઈ ગયા.આટલી નજીકથી મૃત્યુને મેં પહેલીવાર જોયું. હું કશુંજ કરી ન શક્યો.શું કરી શકું ?
હજુ અસ્વસ્થ છું ! 'હસું છું હસાતું નથી,ધોધમાર રડતું નથી ! કનુ તો ગયો, કનુ પાસે જવાતું નથી !
'ઝાલરને પ્રકાશિત કરવા માટે છેલ્લાં દસ વર્ષથી શ્રી કાકુભાઈ ચત્રભુજ રગવાલા મેમો-
રિયલ તટ્રસ્ટ તરફથી અમને આર્થિક સહયોગ મળતો રહ્યો છે ત્યારે આ ટ્રસ્ટના સેટલર શ્રીમતી
હિનાબહેન માનસત્તા ,ટ્રસ્ટી શ્રી અજિતભાઈ માનસત્તાનો અહીંથી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ.
જેમણે હમેશાં અમારી પીઠ થાબડી છે એવા એડવોકેટ શ્રી શંકરભાઈ સચદે,કવિ શ્રી જોરાવર
સિંહજી રાઠોડ 'ચાંદ',કવિવર શ્રી જયંતિ જોશી 'શબાબ ' શ્રી મદનકુમાર અંજારિયા 'ખ્વાબ ' અને
મુદ્રણ માટે ભવાની કોંપ્યુટરના શ્રી શૈલેષભાઈ રાવલના આભારી છીએ. આશા છે 'ઝાલર 'આપ-
ને ગમશે.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સંપાદક મંડળ
No comments:
Post a Comment