Friday, 5 April 2019

મા    !

જય  ભવાની  અંબા ,મા   તારી  કૃપા  રહે !
તુજ  નયનમાંથી ,   સ્નેહ-કરુણા સદા વહે !

લહર વમળ ઓચિંતા  ઊઠે  શાંત  જળમાં,
લય  પ્રાસ    સઘળાં  તૂટે  એક  જ પળમાં.

ભક્ત , તારો  સહારો , સંકટ    સમયે  ચહે ,
તુજ   નયનમાંથી   સ્નેહ-કરુણા  સદા વહે.

અગન  લાગે    જીવતરમાં  જયારે  માડી ,
દોડતી   આવજે   એને બુજાવા મહાકાળી.

દુઃખ -દર્દ  હસતાં  હસતાં , આ  જીવ  સહે,
તુજ  નયનમાંથી  સ્નેહ-કરુણા  સદા  વહે.

ચૈત્રી નવરાત્રિની નવ રાતો ,આરાધું તને,
ભાવ - ભક્તિ -શક્તિ  માડી દઈ દે તું મને.

'કાન્ત 'ની   કવિતા  ચરણોમાં  પડી    કહે,
તુજ  નયનમાંથી   સ્નેહ-કરુણા  સદા  વહે.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






No comments:

Post a Comment