Sunday, 4 September 2016

સ્પર્શ !

  આજે શિક્ષક દિને મને ઇંગ્લેન્ડની સ્કૂલમાં સતત 26 વર્ષથી  ભૂગોળ ભણાવતા અનુભવી 
અને નિષ્ણાત શિક્ષક આર્થર મિલની યાદ આવી ગઈ.એકવાર શિક્ષણાધિકારી એમની શા-
ળાની મુલાકાતે આવ્યા.સાહેબે આર્થરને પૂછ્યું ,'કેટલા વર્ષથી ભૂગોળ શીખવો છો ?'એમણે 
કહ્યું,'છેલ્લા 26 વર્ષથી સાહેબ.'શિક્ષણાધિકારી સાહેબ કહે,'ઓહ !26 વર્ષથી એક જ વિષય 
શીખવો છો ?અને હજી આપ થાક્યા નથી ?' મિલે બહુ સરસ જવાબ આપ્યો,'Sir i am not 
teaching geography.i am teaching the students and they are ever chainging .'
    શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે,વિષય નથી શીખવતો.વિષય જૂનો થાય,વિદ્યાર્થી કદી 
જૂનો થતો નથી.વર્ગમાં વિદ્યાર્થીને નામથી બોલાવનાર શિક્ષકનું અર્ધું કાર્ય સરળ બની જાય 
છે.માત્ર વિદ્યાર્થી શિક્ષકને સાંભળે એ પૂરતું નથી.શિક્ષકે પણ વિદ્યાર્થીને સાંભળવો જોઈએ.
એક હિંદી કવિએ આ વાત બહુ સારી રીતે કહી છે. अगर आप मेरे साथ मधुरता से पेश आएँगे,
अगर आप मेरी और देखकर मुस्कुरायेंगे।यदि आप अपनी बात कहते कहते कभी -कभी मेरी 
बात भी सुन लिया करेंगे-हकीकतन मैं बड़ा  होउँगा-बड़ा होकर रहूँगा। 
     તમાચો-શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયું.વિષય હતો 'મારા શિક્ષકો.'એક બાળકે 
માત્ર એટલું જ લખ્યું-'હે ભગવાન તું શિક્ષકોને સદબુદ્ધિ આપજે !'
                                                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',તા.5 મી સપ્ટેમ્બર,સોમવાર,ભુજ-કચ્છ.

No comments:

Post a Comment