Monday, 5 September 2016

ગઝલ 

વેદ મંત્રનો  વિચાર  છું,
છું ;હું ૐ નો ઉચ્ચાર છું.

શ્રદ્ધા કદી નહીં ડગમગે,
સરસ્વતીનો  હુંકાર  છું.

વૃક્ષ પર જો ટહુકો ઊગે ,
કોકિલાનો  પોકાર   છું.

પાનખર ઉદાસ ન  કરે,
વસંતનો  વિસ્તાર   છું.

ગાંઠમાં  કશું  ન   રોકડું,
ઉધારનો જ વહેવાર છું.

જીવનને  ચાહું  એટલે,
શ્વાસ   અનરાધાર   છું.

મને કોઈ માપી ન શકે,
અનહદનો વિસ્તાર છું.
             ***
-'કાન્ત '







No comments:

Post a Comment