Monday, 20 April 2020

કયારે  ખુલશે  દ્વાર   ?

મહામારીની  આ  માયાજાળ ,
ખબર  નહીં  કયારે  ખુલશે  દ્વાર ?
'હે ! માનવી  તું સતત ઓક્યા કરે છે ઝેર ,
હજુ સમજી જા ,નહિતર કોરોનાને ,
નહીં  કરી શકે તું  જેર.
પછી  કહીશ નહીં કે મેં વર્તાવ્યો છે  કહેર  !

 મને  પણ  શાંતિથી   બેસવા  દે 
 તું પણ  પૈસા પાછળની  દોડાદોડ છોડી,
 ભીતરે  ખુદની જાતને લેટવા દે.
મોતની  પકડમાં  કેવો  ફસાયો  ,
બીજા માટે  કદી  તું  ઘસાયો ?
પ્રાયશ્ચિત કર, કરાવીશ  ફરી લીલાલહેર !

કેવો ઝૂમતો હતો માનવ મહેરામણ,
અચાનક કયાંથી  આવી ગયો આ રાવણ ?
બેફામ થઇ મસ્તીમાં  કુદરતને તેં  રોળી,
કેટલાયે નિર્દોષ પર ચલાવી તેં  ગોળી.
ભાન ભૂલીને  કુદરથી બાંધ્યો તેં  વેર ,
મારા ઘરે અંધેર નથી છે દેર !

માણસ છો  તો માણસાઈથી  વરત ,
બીજાને મદદ કર એજ છે મારી શરત.
હવે તું પોતેજ  તને બચાવી શકશે,
નહીંતર  ટીંગાઈ જઈશ  ભીંત પર નકશે.
હાલમાં  બસ  રહી જા  તારે ઘેર,
ઘૂંઘટનો  પટ ખોલી નાખ  ઉડે છે  ત્યાં કેવી લેર.

તેં  ઘરેઘર દીપ પ્રગટાવ્યા ,
મદ -મોહ-મત્સરને  ફાંસીએ લટકાવ્યા ?
મારી  આ થપાટ  કેવી લાગી  તારા ગાલને ?
બધું  અહીજ  રહી જશે ,સફેદ કર કાળા  માલને,
અનીતિ -અધર્મ -અસત્ય-બન્યા છે આજે  શેર,
પછી ચીમકી ન આપું  તો તું  ક્યાં  સમજે  છે  પ્રેમ ભેર.

ઊગશે  વળી પાછું નવું પ્રભાત ,
હે માનવ  છોડી ન દેતો તું આશ.
પણ વળી પાછું સીતાનું હરણ કરવાનું 
તું ન વિચારજે.
નહીંતર  એક ક્ષણ લાગશે ,નહીં રહે તારી ખેર,
ખાઈ લે ને બાપ,શબરીનાં એઠાં  બેર !
                                ***
-રીમા  હરપ્રતાપ  ભાટિયા 


No comments:

Post a Comment