Wednesday, 29 October 2014

પ્રિયદર્શિની ...... !

કોણ  કહે  છે ,
હવે તમે  નથી  રહ્યા 
પ્રિયદર્શિની  .......???

એક-એક અણું  .....
એક-એક પરમાણું ....
તમારાં  અસ્તિત્વથી  ઝૂમે  છે !

સ્ટેનગનની  જડ  ગોળીઓ 
વિરાટ  ચેતનને  શી  રીતે 
વીંધી  શકે ???

વીંધાયું  એ  તો  તમારું 
શરીર  હતું ....
આત્મરૂપે  આજે  તમે 
અમારી  સાથે  છો !

એક યુગનો  અંત  નથી 
હજુ  તો  શરૂઆત  છે.
1917 માં  નહેરુ પરિવારમાં 
જન્મ્યા, 1984  માં  જન હૃદયમાં 
જન્મ  ધારણ  કર્યો  છે !
                 ***
-'કાન્ત'

No comments:

Post a Comment