Wednesday, 12 July 2017

નીલગગન 

નિરભ્ર  નીલગગન 
મારા  ઘરની   બારીમાંથી 
પ્રવેશી  ગયું  મારામાં.
મારા  ઓરડાની  હવા 
ઝળહળ  થઈ  ગઈ .
મેં ...મારા  સમગ્ર  અસ્તિત્વે....
ગગનના  ભૂરા  રંગને,
સમાવી  લીધું  આંખોમાં .
ઊગતા  સૂર્યનાં કિરણો 
ઝીલાયાં  મારી  કવિતામાં.
નીલગગનની  આ મસ્તી 
નવા  પ્રાણનો  સંચાર 
કરી  ગઈ  મારી  કલમમાં !
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment