સ્પર્શ !
આજે મને મારું ગામ યાદ આવી ગયું. શહેરમાં આવ્યા પછી મેળવ્યું
છે ,પણ ખોયું ઘણું છે.મને બરાબર યાદ છે ઉનાળાના ધોમધખતા તાપ-
માં અમે મિત્રો વાડીઓમાં 'સાખ' પડેલી કેરીઓ તોડવા જતા અને એનો
સ્વાદ લેતા,જે આજે પણ મારી દાઢે ચોંટ્યો છે !ચોમાસામાં વગડામાં જ-
તા અને 'પાલરધુના' માં ભૂસકા મારતા !શિયાળાની રાત તો અદભુત
હતી !
ગામડામાં દરેક ઋતુની રાહ જોવાતી.લોકો ચૈતર-વૈશાખ ને વધાવ-
તા.ઉમાશંકર જોશીએ 'ગ્રીષ્મ ગીતા' નામનું મહાકાવ્ય લખ્યું છે. જેમાં
તેમણે 'જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવ્યો ,નાખ્યા અડિંગા લીમડા
નીચે ,રાયણ ગળે ,મહુડા ફળે ,આંબા લળી-લળી જાય,નદી તીરે કરમદી-
ના ઝુંડ ઝોલા ખાય રે.....!'એમ કહીને કુદરતી ફળોની રસલહાણ લેવાનું
નોતરું આપ્યું છે !
બાલમુકુન્દ દવેએ તો કવિ ઉમાશંકર કરતાંયે વધુ રોમાન્ટિક ગીત
એક ગામડાની ગોરીને મોઢે ગવડાવ્યું છે.....
આવ્યો ઉનાળો ને આવી જો ચૈતરી ,
કોદાળી પડતી મેલ ઓ મારા છેલ !
ડાકોરજી જઈએ ને ગોમતીજી નઈયે,
ચાણોદ જઈયે ને રેવાજી નઈયે !
ગામડાની ગોરીને ચૈત્ર-વૈશાખમાં વિહાર કરવાનું મન થતું.અને રી -
સણા લઈને તેના પ્રિયતમ પાસે યાત્રા કરાવતી.પ્રિયતમ આજની જેવા
એકવીસમી સદીના 'કેરિયર કેરિયર'અને 'પૈસા પૈસા 'પાછળ પાગલ
નહોતા.રિસાયેલી ગોરીને પાછી મનાવાતી -
'અલી પહેરી લે પગમાં ચમચમ ચંપલ,
ઓઢી લે ઓઢણું લાલ પીળું લેરીયું!
ખોસી લે કાનમાં ચાર ચાર ફૂલડાં ,
આપણે તો ફરવા વનરાવન જઈશું!'
--------------------------------------------------------------------------------
આજે મને મારું ગામ યાદ આવી ગયું. શહેરમાં આવ્યા પછી મેળવ્યું
છે ,પણ ખોયું ઘણું છે.મને બરાબર યાદ છે ઉનાળાના ધોમધખતા તાપ-
માં અમે મિત્રો વાડીઓમાં 'સાખ' પડેલી કેરીઓ તોડવા જતા અને એનો
સ્વાદ લેતા,જે આજે પણ મારી દાઢે ચોંટ્યો છે !ચોમાસામાં વગડામાં જ-
તા અને 'પાલરધુના' માં ભૂસકા મારતા !શિયાળાની રાત તો અદભુત
હતી !
ગામડામાં દરેક ઋતુની રાહ જોવાતી.લોકો ચૈતર-વૈશાખ ને વધાવ-
તા.ઉમાશંકર જોશીએ 'ગ્રીષ્મ ગીતા' નામનું મહાકાવ્ય લખ્યું છે. જેમાં
તેમણે 'જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવ્યો ,નાખ્યા અડિંગા લીમડા
નીચે ,રાયણ ગળે ,મહુડા ફળે ,આંબા લળી-લળી જાય,નદી તીરે કરમદી-
ના ઝુંડ ઝોલા ખાય રે.....!'એમ કહીને કુદરતી ફળોની રસલહાણ લેવાનું
નોતરું આપ્યું છે !
બાલમુકુન્દ દવેએ તો કવિ ઉમાશંકર કરતાંયે વધુ રોમાન્ટિક ગીત
એક ગામડાની ગોરીને મોઢે ગવડાવ્યું છે.....
આવ્યો ઉનાળો ને આવી જો ચૈતરી ,
કોદાળી પડતી મેલ ઓ મારા છેલ !
ડાકોરજી જઈએ ને ગોમતીજી નઈયે,
ચાણોદ જઈયે ને રેવાજી નઈયે !
ગામડાની ગોરીને ચૈત્ર-વૈશાખમાં વિહાર કરવાનું મન થતું.અને રી -
સણા લઈને તેના પ્રિયતમ પાસે યાત્રા કરાવતી.પ્રિયતમ આજની જેવા
એકવીસમી સદીના 'કેરિયર કેરિયર'અને 'પૈસા પૈસા 'પાછળ પાગલ
નહોતા.રિસાયેલી ગોરીને પાછી મનાવાતી -
'અલી પહેરી લે પગમાં ચમચમ ચંપલ,
ઓઢી લે ઓઢણું લાલ પીળું લેરીયું!
ખોસી લે કાનમાં ચાર ચાર ફૂલડાં ,
આપણે તો ફરવા વનરાવન જઈશું!'
--------------------------------------------------------------------------------
No comments:
Post a Comment