Monday, 12 May 2014

                                   સ્પર્શ !
      
      આજે  મને મારું ગામ યાદ આવી ગયું. શહેરમાં આવ્યા પછી મેળવ્યું 
છે ,પણ ખોયું ઘણું છે.મને બરાબર યાદ છે ઉનાળાના ધોમધખતા તાપ-
માં અમે મિત્રો વાડીઓમાં 'સાખ' પડેલી કેરીઓ તોડવા જતા અને એનો 
સ્વાદ લેતા,જે આજે પણ મારી દાઢે ચોંટ્યો છે !ચોમાસામાં વગડામાં જ-
તા અને 'પાલરધુના' માં ભૂસકા મારતા !શિયાળાની રાત તો અદભુત 
હતી !
      ગામડામાં દરેક ઋતુની રાહ જોવાતી.લોકો ચૈતર-વૈશાખ ને વધાવ-
તા.ઉમાશંકર જોશીએ 'ગ્રીષ્મ ગીતા' નામનું મહાકાવ્ય લખ્યું છે. જેમાં 
તેમણે 'જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવ્યો ,નાખ્યા અડિંગા લીમડા 
નીચે ,રાયણ ગળે ,મહુડા ફળે ,આંબા લળી-લળી જાય,નદી તીરે કરમદી-
ના ઝુંડ ઝોલા ખાય રે.....!'એમ કહીને કુદરતી ફળોની રસલહાણ લેવાનું 
નોતરું આપ્યું છે !
      બાલમુકુન્દ દવેએ તો કવિ ઉમાશંકર કરતાંયે વધુ રોમાન્ટિક ગીત 
એક ગામડાની ગોરીને મોઢે ગવડાવ્યું છે.....
                        આવ્યો ઉનાળો ને આવી જો ચૈતરી ,
                        કોદાળી પડતી મેલ ઓ મારા છેલ !
                        ડાકોરજી જઈએ ને ગોમતીજી નઈયે,
                        ચાણોદ જઈયે ને રેવાજી  નઈયે !
     ગામડાની ગોરીને ચૈત્ર-વૈશાખમાં વિહાર કરવાનું મન થતું.અને રી -
સણા લઈને તેના પ્રિયતમ પાસે યાત્રા કરાવતી.પ્રિયતમ આજની જેવા 
એકવીસમી સદીના 'કેરિયર કેરિયર'અને 'પૈસા પૈસા 'પાછળ પાગલ 
નહોતા.રિસાયેલી ગોરીને પાછી મનાવાતી -
                        'અલી પહેરી લે પગમાં ચમચમ ચંપલ,
                         ઓઢી લે ઓઢણું લાલ પીળું લેરીયું!
                         ખોસી  લે  કાનમાં  ચાર ચાર  ફૂલડાં ,
                         આપણે તો ફરવા વનરાવન જઈશું!'
-------------------------------------------------------------------------------- 

                       
    

No comments:

Post a Comment