ગઝલ
કવિતાના પ્યારમાં કંઈ વળતું નથી,
ક્યાંયથી શિરપાવ તો મળતું નથી !
આમ તો મહેફિલમાં વાહવાહ મળે,
એકે મોજું હૈયે ખળભળતું નથી !
કાન ખુલ્લા રાખી ને સૌ મને સાંભળે ,
પણ આંખમાં તેજ ઝળહળતું નથી !
વ્હેતી વાતને શબ્દોમાં લહેરાવું ઘણે ,
એ વાતને કોઈ જ ગણગણતું નથી !
એક ભીની સુગંધ આવી છતાં પણ,
'કાન્ત' શ્વાસમાં કોઈ સંઘરતું નથી !
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------
No comments:
Post a Comment