Saturday, 3 May 2014

                    ગઝલ 

કવિતાના  પ્યારમાં  કંઈ  વળતું  નથી,
ક્યાંયથી    શિરપાવ  તો  મળતું  નથી  !

આમ તો  મહેફિલમાં  વાહવાહ    મળે,
એકે    મોજું   હૈયે   ખળભળતું     નથી !

કાન  ખુલ્લા  રાખી ને સૌ  મને  સાંભળે ,
પણ  આંખમાં  તેજ   ઝળહળતું    નથી !

વ્હેતી  વાતને  શબ્દોમાં  લહેરાવું  ઘણે  , 
એ  વાતને  કોઈ   જ  ગણગણતું  નથી !

એક  ભીની  સુગંધ  આવી  છતાં   પણ,
'કાન્ત'   શ્વાસમાં  કોઈ   સંઘરતું    નથી  !
--------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
---------------------------------------------

No comments:

Post a Comment