Monday, 19 May 2014

                                                સ્પર્શ 

...જાણીતા સર્જક શરીફા વીજળીવાળાએ કરેલાં માતબર સંપાદન 'શતરૂપા'માં 
નારીકેન્દ્રી વાર્તાઓ છે.જે વાંચતાં થાય કે ઈશ્વરે દીકરીમાં કેટલાં બધાં રૂપ ને મિ -
જાજ  મુક્યાં છે !દીકરીનો આગવો અવાજ કેવો હોય એનો પરિચય પણ આ વા-
ર્તાઓમાંથી વાચક પામી શકે.
...પોતાની અભ્યાસથી છલકાતી  પ્રસ્તાવનામાં શરીફા લખે છે કે પુરુષ પ્રધાન સ-
માજે સ્ત્રીને હંમેશાં બીજા-ઊતરતા ક્રમે માની છે-અને રાખી છે.પરીક્થાઓની સ્ત્રી 
અસહાય જ હોય છે.પરી હોવા છતાં એ સ્વાવલંબી નહીં -પરાવલંબી હોય.જૂની 
વાર્તાઓમાં કાયમ એવુંજ બનતું હોય છે કે રાજા અડધા રાજપાટ સાથે રાજકુંવરી 
આપવાની જાહેરાત કરે.સીતાનાં સતીત્વની પરીક્ષા થાય, પાંચાલીને જુગારમાં 
રમી શકાય.'સતી' શબ્દનું પુલ્લિંગ છે ખરું?
...પતિપરાયણ સ્ત્રીનાં વખાણ થાય ,પણ પત્નીપરાયણ પતિની નિંદા.સત્યવાનને 
લઈ જતા યમરાજાની પાછળ સાવિત્રી જાય તો તે પ્રશંસનીય ગણાય પણ સાવિત્રી-
ની પાછળ સત્યવાન જાય તો રમૂજને પાત્ર ઠરે !'શતરૂપામાં સ્ત્રીઓના જીવનનો પ-
ડઘો સંભળાય છે.એવું લાગે કે સ્ત્રીનું જીવન સળંગ નહિ પણ ટુકડે-ટુકડે જીવાય છે !
---------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment