..................................સ્પર્શ ..........................................
---જાણીતા સર્જક માવજી મહેશ્વરીએ થોડાક દિવસ પહેલાં
તેમની પોસ્ટમાં એક પત્ર (પોસ્ટકાર્ડ )FB પર મૂક્યો હતો.
સરનામાં સિવાય કંઈ વંચાતું નહોતું.એમના કોઈ ડો.ચાહક
હશે એમ મારું માનવું છે.માવજીભાઈએ પત્ર લેખકની શોધ
કરી કે નહીં ,એની મને ખબર નથી.
---માવજીભાઈ તમે નસીબવાળા છો કે કોઈકે તમને પત્ર તો
લખ્યો !અમે તો કેટલા સમયથી પત્ર માટે તરસીયે છીએ,ન
ઊકલે તો કાંઈ નહીં ,કોઈ લખે તો ને ?અત્યારે તો ઈ-મેઈલ,
મોબાઈલ અને ઈન્ટરનેટની બોલબાલા છે.આવામાં પત્ર લ-
ખવા માટે કોણ નવરું હોય?
---હા,એમાં ના નહીં કે એક જમાનામાં પત્રલેખન એક કળા
ગણાતી.જેનું પ્રતિબિંબ હિન્દી ફિલ્મોમાં પણ પડતું.વી.શાંતા-
રામે 'શકુંતલા'નામની ફિલ્મ બનાવી ત્યારે શકુંતલા ગીત ગા
તાં ગાતાં લખે છે:'मनकमल में पिया बिराजे,फिर क्या लिखुँ
नाथ.....'પ્રેમ પત્ર લખવો એટલે કોરા કાગળ પર હૃદયને અવ -
તારવું.દુનિયાનો પહેલો પ્રેમપત્ર રુક્ષ્મણીએ કૃષ્ણને લખેલો !
---દુનિયાનો શાણો પુરુષ પણ પત્રમાં પોતાનું હૃદય ઠાલવતાં
અચકાતો નથી.પત્ર જોજનો દૂર વસતી પ્રિય વ્યક્તિને સમીપતા-
નો અનુભવ કરાવી શકે છે.મને પોતાને પત્ર લખવો બહુ ગમે છે.
આજે પણ કયારેક લખી લઉં છું.પણ પ્રત્યુત્તર આપવાવાળું કોઈ
નથી.
---મને બરાબર યાદ છે આજથી 40 વર્ષ પહેલાં રવિવારની એક
સાંજે મેં એક પત્ર લખ્યો હતો જે આજે પણ મારી પાસે સચવાયેલો
છે.મેં લખ્યું હતું,'તારામાં જે કંઈ ઉત્તમ છે એ તને શબ્દો દ્વારા પહોં -
ચાડું છું.આ પત્ર લખવા બેઠો છું ત્યારે મન શાંત,પ્રશાંત છે અને હું
મારી જાતને તારી સમક્ષ ખુલ્લી કરું છું.તારા માટેનો મારો પ્રેમ સ-
ઘન અને ગહન છે.એ પ્રબળ અને ઊંડો છે.પણ આ દુનિયાને દેખા -
ડવાની વસ્તુ નથી ,આપણે અંદરથી પામવાની વાત છે !'
--------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.22-05-20014,ગુરુવાર,10-04
A M )
----------------------------------------------------------------------------------------------------
---જાણીતા સર્જક માવજી મહેશ્વરીએ થોડાક દિવસ પહેલાં
તેમની પોસ્ટમાં એક પત્ર (પોસ્ટકાર્ડ )FB પર મૂક્યો હતો.
સરનામાં સિવાય કંઈ વંચાતું નહોતું.એમના કોઈ ડો.ચાહક
હશે એમ મારું માનવું છે.માવજીભાઈએ પત્ર લેખકની શોધ
કરી કે નહીં ,એની મને ખબર નથી.
---માવજીભાઈ તમે નસીબવાળા છો કે કોઈકે તમને પત્ર તો
લખ્યો !અમે તો કેટલા સમયથી પત્ર માટે તરસીયે છીએ,ન
ઊકલે તો કાંઈ નહીં ,કોઈ લખે તો ને ?અત્યારે તો ઈ-મેઈલ,
મોબાઈલ અને ઈન્ટરનેટની બોલબાલા છે.આવામાં પત્ર લ-
ખવા માટે કોણ નવરું હોય?
---હા,એમાં ના નહીં કે એક જમાનામાં પત્રલેખન એક કળા
ગણાતી.જેનું પ્રતિબિંબ હિન્દી ફિલ્મોમાં પણ પડતું.વી.શાંતા-
રામે 'શકુંતલા'નામની ફિલ્મ બનાવી ત્યારે શકુંતલા ગીત ગા
તાં ગાતાં લખે છે:'मनकमल में पिया बिराजे,फिर क्या लिखुँ
नाथ.....'પ્રેમ પત્ર લખવો એટલે કોરા કાગળ પર હૃદયને અવ -
તારવું.દુનિયાનો પહેલો પ્રેમપત્ર રુક્ષ્મણીએ કૃષ્ણને લખેલો !
---દુનિયાનો શાણો પુરુષ પણ પત્રમાં પોતાનું હૃદય ઠાલવતાં
અચકાતો નથી.પત્ર જોજનો દૂર વસતી પ્રિય વ્યક્તિને સમીપતા-
નો અનુભવ કરાવી શકે છે.મને પોતાને પત્ર લખવો બહુ ગમે છે.
આજે પણ કયારેક લખી લઉં છું.પણ પ્રત્યુત્તર આપવાવાળું કોઈ
નથી.
---મને બરાબર યાદ છે આજથી 40 વર્ષ પહેલાં રવિવારની એક
સાંજે મેં એક પત્ર લખ્યો હતો જે આજે પણ મારી પાસે સચવાયેલો
છે.મેં લખ્યું હતું,'તારામાં જે કંઈ ઉત્તમ છે એ તને શબ્દો દ્વારા પહોં -
ચાડું છું.આ પત્ર લખવા બેઠો છું ત્યારે મન શાંત,પ્રશાંત છે અને હું
મારી જાતને તારી સમક્ષ ખુલ્લી કરું છું.તારા માટેનો મારો પ્રેમ સ-
ઘન અને ગહન છે.એ પ્રબળ અને ઊંડો છે.પણ આ દુનિયાને દેખા -
ડવાની વસ્તુ નથી ,આપણે અંદરથી પામવાની વાત છે !'
--------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.22-05-20014,ગુરુવાર,10-04
A M )
----------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment