Tuesday, 13 May 2014

માવજીભાઈ,
...કોઈ પણ સર્જક માટે એનું સર્જન બહુમૂલ્ય હોય છે.જેમ માતા પ્રસૂતિની વેદના સહીને 
બાળકને જન્મ આપે છે તે રીતે જ કોઈ કવિ ,વાર્તાકાર પોતાના અંતરને વલોવીને શબ્દ 
રૂપે કવિતા કે વાર્તા ને જન્મ આપતો હોય છે.સર્જક સંવેદનશીલ હોય છે.પણ તમારામાં 
સંવેદના સાથે ચેતના,દ્રષ્ટિ,પરખ અને સામાજિકતા મેં જોયાં છે. પછી એ તમારી કટાર 
હોય કે વાર્તા હોય.
...આજે મને એક વાત ગમી કે,તમારું સર્જન કોઈ અન્ય સ્વરૂપે તમારી સમક્ષ આવ્યું એને 
સૂક્ષ્મ દર્શક યંત્ર પર મૂકી ને તમે જ ચકાસ્યું તો એમાંથી પણ કંઈક નવું તમે શોધી શક્યા.
બસ દરેક સર્જક પાસે આ દ્રષ્ટિ અને સૃષ્ટિ આવી જાય તો એમાંથી જે નીપજે તે અસલ 
કંચન !તમને મારા ખૂબ-ખૂબ આશીર્વાદ! કબીરનું દર્શન અને પરમાત્માની કૃપા માવજીની 
લેખિની પર વરસતાં રહે એવી મનોકામના !
-કૃષ્ણકાંત 

No comments:

Post a Comment