Tuesday, 5 January 2016

ગઝલ 

દુશ્મનોના હુમલા જયારે  થયા !
અમે   માતૃભૂમિની  વ્હારે  થયા !

કેમ બેસી રહીએ  હવે  ઘર મહીં ?
આતંકી  પગલાં  કિનારે   થયા !

અહીં   મોતની  પરવા  છે  કોને ?
હુમલા  આ  કોના વિચારે  થયા ?

મરતું  રહ્યું  તું  મરણ  રાત ભર,

કેમ નયન  ભીનાં  સવારે થયાં ?

દેશને   આપી    શકીએ  ખાત્રી ,
ડંકા  વિજયના  તવ દ્વારે થયા !

અલવિદા કહીને એટલું માગીએ,
મારો એને,ઘા જેના ઈશારે થયા !
                      ***
-'કાન્ત'






No comments:

Post a Comment