ગઝલ
ભાગ્ય કયાં બદલી શકાતું હોય છે ?
વિધાતાના ચોપડે લખાતું હોય છે.
થાય,બચીએ જળમાં થતા વમળથી,
પણ ,બાલટીમાંયે એ રચાતું હોય છે.
સ્વપ્નમાંથી યાદ તારી નીકળી ગઈ,
એમાંયે કેટલુંએ સહેવાતું હોય છે.
વૈખરી વાણીને શાને વાપરવી હવે ?
મૌનમાંયે ઘણું બધું કહેવાતું હોય છે.
સંતાકૂકડીની રમત શીખવી પડશે,
મોત પણ કયારેક લપાતું હોય છે.
ધરાથી ગગન સુધી કોણ વ્યાપી ગયું ?
'કાન્ત' એ તત્વને કયાં અડાતું હોય છે ?
***
-'કાન્ત'
ભાગ્ય કયાં બદલી શકાતું હોય છે ?
વિધાતાના ચોપડે લખાતું હોય છે.
થાય,બચીએ જળમાં થતા વમળથી,
પણ ,બાલટીમાંયે એ રચાતું હોય છે.
સ્વપ્નમાંથી યાદ તારી નીકળી ગઈ,
એમાંયે કેટલુંએ સહેવાતું હોય છે.
વૈખરી વાણીને શાને વાપરવી હવે ?
મૌનમાંયે ઘણું બધું કહેવાતું હોય છે.
સંતાકૂકડીની રમત શીખવી પડશે,
મોત પણ કયારેક લપાતું હોય છે.
ધરાથી ગગન સુધી કોણ વ્યાપી ગયું ?
'કાન્ત' એ તત્વને કયાં અડાતું હોય છે ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment