Monday, 21 March 2016

ગઝલ 

શાને  ભાઈ  પારકી  પંચાત  કર ?
કરી   શકે   તો  'હું' ને  મ્હાત  કર.

એક દિવસ તું પણ  ત્યાં  જ  હતો,
એ  ક્ષણોનો    હવે તું ન ઘાત કર ?

અહીં  કોઈ  વગર  અટકતું  નથી,
હવે    સમજવાની   શરૂઆત કર.

સંવાદ  છે   કવિ-કવિતાનો  ધર્મ,
શબ્દ રેણે તું  જોડવાની વાત કર.

કોઈની કયારેક પીઠ થાબડી  જો,
સંવેદનાને  તું   આત્મસાત    કર. 
                     ***
-'કાન્ત'



No comments:

Post a Comment