Sunday, 22 May 2016

ગઝલ 

કોઈ  અજાણ્યા  જણ  વિષે  તું  વાત  કર,
ઓગળી  ગયેલી   ક્ષણ વિષે તું વાત કર.

અન્નકૂટ ધરે  ઈશ્વરને  છપ્પન   ભોગનો, 
કયારેક કીડીના  કણ  વિષે  તું વાત કર.

લીલાછમ્મ  જંગલ  વસે  તારી   ભીતર,
યાર !  સહરાના  રણ  વિષે તું  વાત કર.

મિલીગ્રામ  સોનાની  ગલી  છે  સાંકળી ,
ત્રાજવું  ઉપાડ,  મણ  વિષે  તું વાત કર.

મહાભારત  ભલે  ખેલાતું  રાજનીતિમાં,
દાદા  ભીષ્મના,પણ  વિષે તું  વાત  કર. 
                          ***
-'કાન્ત'


No comments:

Post a Comment