Tuesday, 5 May 2015

ગઝલ 

કોકને ,વટ  પાડવાની  ટેવ  હોય  છે,
મમરા સાથે સદાબહાર સેવ હોય છે !

ખોળાનો  ખૂંદનાર   મેળવવા   માટે,
પથ્થર  એટલા  પૂજયા દેવ હોય છે !

વરસાદ   છાપરે  ચડીને  ન  પોકારે,
એટલે તો   નળિયાને  નેવ  હોય  છે !

વિરહ તો   હમેશાં સદીઓમાં જ  રહે,
મિલનની બસ એક જ ખેવ   હોય છે !

'કાન્ત'  જિંદગીનો  સાર  એટલો  જ ,
ઘાટ  ઘડેલા  સોનાને    રેવ હોય છે !
                        ***
-'કાન્ત'
(ખેવ -ક્ષણ ,પળ )








No comments:

Post a Comment