Sunday, 21 February 2016

ગઝલ 

મન દીધું , તો  માણવાએ  દે,
કદીક , ખુદને  જાણવાએ   દે.

બીજું  શું  થઈ  શકે મારાથી ?
ભીતરનો મેલ  છાણવાએ દે.

ઢોલિયો ઢીલો થઈ ગયો  છે,
પાંગત  એની  તાણવાએ દે.

આવું   અજવાળું  નથી દીઠું,
તિમિરને , શણગારવાએ દે.

હું  અચાનક તને સ્પર્શું  તો,
થોડો રોમાંચ પામવાએ  દે. 

હવે  દર્દ  પડખું   બદલે  છે,
એને  નજીક  આવવાએ  દે.

મારી આંખમાં  જો એકીટસે,
આ પલકને ફરકાવવાએ દે.
                ***
-'કાન્ત'








No comments:

Post a Comment