ગઝલ
સપ્તપદીના વિચાર વાવું છું,
અગ્નિસાક્ષીએ સંસાર વાવું છું.
ક્રિયા અને સાધનામાં છે ફરક ,
ચાર ફેરાનો વિસ્તાર વાવું છું.
પનઘટથી પાણીયારા સુધી,
મારી મર્યાદાનો સાર વાવું છું .
ઘૂંઘટમાં શરમાય છે મારું દિલ,
સાસરિયામાં હું પ્યાર વાવું છું .
ઓરડે દીવો બળે શ્રદ્ધા તણો ,
સાહ્યબાનો અધિકાર વાવું છું.
ભારતીય નારી નું સ્વરૂપ છું ,
તુલસીક્યારે સવાર વાવું છું.
ઠાકોરજીના ઘરમાં છે બેસણા,
પંચામૃતમાં એકરાર વાવું છું.
***
-'કાન્ત'
સપ્તપદીના વિચાર વાવું છું,
અગ્નિસાક્ષીએ સંસાર વાવું છું.
ક્રિયા અને સાધનામાં છે ફરક ,
ચાર ફેરાનો વિસ્તાર વાવું છું.
પનઘટથી પાણીયારા સુધી,
મારી મર્યાદાનો સાર વાવું છું .
ઘૂંઘટમાં શરમાય છે મારું દિલ,
સાસરિયામાં હું પ્યાર વાવું છું .
ઓરડે દીવો બળે શ્રદ્ધા તણો ,
સાહ્યબાનો અધિકાર વાવું છું.
ભારતીય નારી નું સ્વરૂપ છું ,
તુલસીક્યારે સવાર વાવું છું.
ઠાકોરજીના ઘરમાં છે બેસણા,
પંચામૃતમાં એકરાર વાવું છું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment