Tuesday, 12 April 2016

ગઝલ 

હું  ઘાયલની  શાયરીનો  શેર  છું,
લખી શકું તો  ગઝલની બહેર છું.

કુરુક્ષેત્ર અંતરે  કાયમ  ખળભળે,
કૌરવ-પાંડવોનો ઘૂંટેલો  વેર છું .

નાટક તો છે  જ  પાત્ર બદલે  છે,
રંગમંચના  નૈપથ્યની  લહેર છું.

કરું  લીલાલહેર કવિતા લખીને,
કંઠમાં   વહેતા ગીતની નહેર છું.

સુરાના  સ્વાદને  કેમ  ન  જાણું ?
મયકદામાં  પિરસાતો   ઝેર  છું .

નથી કેવટ કે  સૌને  પાર ઉતારું,
જાત પર  જાઉં તો  કાળો કેર છું.

બજારમાં  વેચાઉં તો  ગનીમત,
નહીંતર   ત્રાંબિયાનો    તેર  છું.
                    ***
-'કાન્ત'









No comments:

Post a Comment