Tuesday, 19 April 2016

ગઝલ 

અવસર, ટહુકો, શબ્દ  ને  વિચાર  વાવું  છું .
સપ્તપદીના સાત મંત્રોનો  સંસાર વાવું છું .

નથી   કોઈ   ફરિયાદ , શોક  કે  અણગમો,
પ્રાણવાયુનો  છમ્મલીલો વિસ્તાર વાવું છું .

હું  ચાર  ફેરાના  મંત્રોને    ઉકેલું   શી રીતે ?
દાંપત્યના પગલે -પગલે પડકાર વાવું છું.

મારા શ્વાસે શ્વાસમાં  ફોરમ થઈને મઘમઘે,
કાંટાળી  વાડ  સળવળે  ચમત્કાર વાવું છું.

ઉતારો  મળ્યો  છે  મને  નગરમાં  મેડીએ,
ગોધુલીના  ગોટે -ગોટા  ચિક્કાર વાવું   છું . 

આ સમય , કેટલો  થઈ  ગયો છે  અધીરો,
આચારની  શૂન્યતા, ને   પ્રચાર  વાવું  છું .

ઓળખાણ નથી આપવી મારે  જમાનાને,
ઓળખી શકો જો મને, અણસાર વાવું  છું .
                           ***
-'કાન્ત'

No comments:

Post a Comment