ગઝલ
અસહ્ય વેદના મને ઘેરી વળે છે,
ક્યાં કોઈ આ રક્તચાપને કળે છે ?
પોતાના અંશ જયારે , આઘાત આપે,
આપમેળે જિંદગી મોત તરફ ઢળે છે.
માન્યું જીવન,ઇશ્ર્વર નું વરદાન હશે,
પછી એમાં આટલા દર્દો કેમ ભળે છે ?
નીલકંઠ ઉતારી શકયા ઝેરને ભીતર ?
અહીં તો વિષનાં ઘૂંટડા, રોજ મળે છે.
પાપ-પૂણ્યની ,વ્યાખ્યા તો બતાવો,
'કાન્ત'ની ચિતા, ભળભળ બળે છે.
***
-'કાન્ત'
અસહ્ય વેદના મને ઘેરી વળે છે,
ક્યાં કોઈ આ રક્તચાપને કળે છે ?
પોતાના અંશ જયારે , આઘાત આપે,
આપમેળે જિંદગી મોત તરફ ઢળે છે.
માન્યું જીવન,ઇશ્ર્વર નું વરદાન હશે,
પછી એમાં આટલા દર્દો કેમ ભળે છે ?
નીલકંઠ ઉતારી શકયા ઝેરને ભીતર ?
અહીં તો વિષનાં ઘૂંટડા, રોજ મળે છે.
પાપ-પૂણ્યની ,વ્યાખ્યા તો બતાવો,
'કાન્ત'ની ચિતા, ભળભળ બળે છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment