Sunday, 12 April 2015

ગઝલ  !

મને  મૂંઝવે  આ   ચકરાવા ,
નથી  ઈચ્છતો  હું  ટકરાવા !

બધાં  ખરખરો  કરશે મારો ,
સાચું રડશે ગઝલના દાવા !

સારેગમની   કુંજ    ગલીમાં,
કૃષ્ણ લાગ્યો છે હવે દેખાવા !

રાતરાણીની  મ્હેક  મઘમઘે,
ફોરમના   હોય  કંઈ પુરાવા ?

સત્ય ફૂટતું   નથી  કયારામાં ,
ગાંધીદ્વારે   આતુર પોંખાવા !

મને જગનો અનુભવ નપૂછો,
કરવા  કયાં   છે   કાવાદાવા !

'કાન્ત' ની મહેફિલ છે બરુકી ,
નથી જોઈતી કોઈની  વાવા !
                ***
-'કાન્ત'






No comments:

Post a Comment