Monday, 13 April 2015

આંબેડકર !

બંધારણના ઘડવૈયા આંબેડકર,
આઝાદીના લડવૈયા આંબેડકર!

દલિતોના મસીહા ને  માર્ગદર્શક,
મઝધારના તરવૈયા  આંબેડકર!

ઊભા કુરુક્ષેત્રની કર્મભૂમિ પર એ,
આ   દેશના  સરવૈયા  આંબેડકર !  

વખ પણ અમી માનીને પી  ગયા,
રાષ્ટ્રવાદના  કરવૈયા  આંબેડકર !

ઝીલી શકયા એ ભાર  ગરીબીનો,
'કાન્ત' સ્નેહમયી મૈયા આંબેડકર ! 
                     ***
-'કાન્ત'



No comments:

Post a Comment