ગઝલ
મનની વ્યથા મૃગજળ બની,
આંખો રડી તો ગંગાજળ બની !
વાવવું હવે મને ભીતર બધે,
મારી હલચલ તો હળ બની !
ખુદને જ ખોલવો રહ્યો મને,
બંધ દરવાજાની કળ બની !
પરવા નહીં આ દુનિયા હસે ,
રહું કાદવમાં હું કમળ બની !
હરદમ ખુદને જ વેચતો રહ્યો,
કચડાતો રહ્યો હું સળ બની !
સમજદારીના કટોરા પીધાં મેં ,
રહ્યો સંબંધોમાં હું તળ બની !
નથી ઈશ્વર બનવાની ઝંખના,
જીવવું છે કેવળ અંજળ બની !
***
-'કાન્ત'
No comments:
Post a Comment