Monday, 20 August 2018

અસ્તિત્વ  !

મારું  અસ્તિત્વ  તારાથી ,
તારું  અસ્તિત્વ  મારાથી  !

કરવી છે વાત ?બોલ તું,
આકાશના    સિતારાથી !

પવન  વહે ,જો  આંગણે,
શાંત મન ,એ નજારાથી !

અસ્તિત્વ ,છે  શહેનશાહ 
ચમકું  એના,  ઠઠારાથી !

શબ્દોનું અસ્તિત્વ,જાણે,
કવિ નારાજ,બિચારાથી !
              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમ વિલા ',પ્લોટ.નં .155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ. 
મો .99090  71588 


No comments:

Post a Comment