Monday, 27 August 2018

મન  !

મન ને સમજ્યા વિના સુખ નહીં મનવા,
મન વિના જગતગતિ  કેમ કરી સમજાય ?
આપણી  ભીતર  વસે છે  પરમાત્મા,
એ  કેમ કરી ઓળખાય ?
                                              0મન ને.....

મન  ચંચળ ,મન મર્કટ ,મનથી હાર ને જીત,
મન વિના  કેમ કરવી  મારે  હરિથી પ્રીત ?
રુદિયો  રૂએ ,ભીતર જલે ,બધું ખળભળે,
એને  કેમ કરી  આ જીવથી  કાબૂ કરાય ?
                                              0મન ને.....
પારસમણી શો  સ્પર્શ  આ મનનો,
મીરાં ,કબીર,તુલસીએ  અહં  ન ગણકાર્યો  તનનો !
ચેતના  આતમની  ચેતવે મન ને,
ભઈ  ! જો  પરમતેજનો  પ્રકાશ  રેલાય !
                                               0મન ને.....
મન  હારે  તો હાર,મન જીતે તો જીત,
જીવ  તું  અભિમાનને કરી દે ચીત !
મોહ,મત્સરની  પાછળ  દોડતાં ,
એનો પાર  ન પમાય !
                                                0મન ને...
અજવાળું  દૂર  કરે અંધારું,
છોડી દે ને  ભઈલા ,હવે આ તારું-મારુ !
ઝીણી  રે  ઝગે  છે ,દીવડાની  વાટ ,
તેલ  પૂરી  દે એમાં ,પછી બધું ઝળહળ ઝળહળ થાય !
                                                 0મન ને.....
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588 












No comments:

Post a Comment