Tuesday, 28 August 2018

ભજન 

મનને  સમજ્યા  વિના  રે 
   આ  જગત  કેમ  સમજાય રે મનવા.
જાતને  ઓળખ્યા વિના રે,
   હરિ ને કેમ કરીને ઓળખાય મનવા ! 

મન  ચંચળ,મન મર્કટ ,મનથી  હાર ને જીત,
મનડા  વિના મારે  કરવી કેમ ,પ્રભુથી પ્રીત !
રુદિયો  રૂવે ,ભીતર જલે , બધું ખળભળે.
એને  કેમ કરી  આ  જીવથી  કાબુ  કરાય મનવા ,
                                          0મનને સમજ્યા...
અંદર  ભળભળ  રૂપ  આ  મનનું  અગન જેવું,
બાહરનું  રૂપ   સોહાય આ મનનું ,પવન જેવું !
બન્ને રૂપમાં એ  મગન થઈને  મ્હાલે ,
મનને  કેમ કરી  વશમાં રખાય રે મનવા !
                                            0મનને સમજ્યા..
મન કે હારે  હાર  છે  મનવા,મન કે જીતે જીત,
જીવ હવે તું સાવધ  થઈ  જા,મનને  કરી દે ચીત.
મોહ-મત્સર-મદની  પાછળ  ભાગે ,
મનનો  પાર  નહીં  પમાય  રે મનવા !
                                           0મનને સમજ્યા..
પારસમણીશો  સ્પર્શ  છે આ મનનો,
મીરાં ,કબીર ,તુલસીએ  અહં  ન ગણકાર્યો તનનો.
ચેતના  આતમની  ચેતવે છે,
પરમતેજનો  પ્રકાશ  અહીં રેલાય  રે મનવા.
                                           0મનને સમજ્યા......
અંધારાને  મારી ભગાવે ,પરમતત્વનું  અજવાળું,
છોડી દે ને જીવ હવે તું,આ તારું  આ  મારું.
'કાન્ત ' ઝગે   છે, દીવડાની  વાટ ,
તેલ પૂરી  દે ,થાય બધું ઝળહળ ઝળહળ મનવા.
                                            0મનને  સમજ્યા...
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







No comments:

Post a Comment