Wednesday, 24 June 2015

ગઝલ 

મારીચનું   છળ    હશે  તો  ચાલશે,
શ્રી   રામનું  બળ  હશે  તો  ચાલશે !

શ્રી જાનકી પ્રગટયા પૃથ્વી મહીંથી ,
જનકપુરીનું  હળ   હશે  તો ચાલશે ! 

અંતિમ સમયે હોઠ પર હો હરિનામ,
મોઢામાં તુલસીદળ હશે તો ચાલશે !

મનની  વ્યથા  મૃગજળ  બને   જો,
કો  વીરડીનું  જળ  હશે  તો ચાલશે  !

આ સમય પણ  હવે  સરે છે સતત ,
કો  નાથવાની કળ હશે તો ચાલશે !

ઈચ્છાઓના વન અહીં  ભડકે બળે  ,
ભીતરે   ભળભળ હશે તો   ચાલશે !

ભીંજવાની   પણ   ખરી   મજા   છે,
લાગણી  અનગળ હશે તો ચાલશે !
                       ***
-'કાન્ત'




No comments:

Post a Comment